વડોદરા: વાઘોડિયા જીઆઇડીસીની શ્રી જે જે ફોર્મ કંપનીમાં ભીષણ આગથી નાસભાગ મચી

વાઘોડિયા  જીઆઈડીસીમાં આવેલ જે જે ફોર્મ નામની કંપનીના ગોડાઉનમાં અચાનક આગ લાગી હતી,ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભારે નાસભાગ મચી ગઈ હતી અને ભારે જહેમત બાદ આગ પર મેળવાયો

New Update

વાઘોડિયા જીઆઈડીસીનો બનાવ 

શ્રી જે જે ફોર્મના ગોડાઉનમાં લાગી ભીષણ આગ 

ઘટનાને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો 

 ખાનગી કંપનીના લાશ્કરોએ આગ પર મેળવ્યો કાબુ  

આગ લાગવાનું કારણ અકબંધ 

વડોદરાના વાઘોડિયા જીઆઈડીસીમાં આવેલ શ્રી જે જે ફોર્મ નામની કંપનીના ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળતા નાસભાગ મચી ગઈ હતી.વડોદરાની  વાઘોડિયા  જીઆઈડીસીમાં આવેલ જે જે ફોર્મ નામની કંપનીના ગોડાઉનમાં અચાનક આગ લાગી હતી,ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભારે નાસભાગ મચી ગઈ હતી.
જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું,અને ઘટના અંગે ફાયર સ્ટેશનમાં જાણ કરવામાં આવતા ખાનગી કંપની સહિતના ફાયર લાશ્કરો ફાયર ટેન્ડર સાથે દોડી આવ્યા હતા,અને આગ પર પાણીનો મારો ચલાવીને કાબુ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો,જ્યારે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો.
અને આગમાં બચી ગયેલા માલસામાનને સુરક્ષિત રીતે બહાર ખસેડવાની કામગીરી પણ કરવામાં આવી હતી.આગમાં સદનસીબે કોઈ જાનહાની પહોંચી નહતી.અને આગ લાગવા અંગેનું કારણ જાણવા માટે પોલીસ દ્વારા પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે.
#ભીષણ આગ #Fire News #Vadodara Fire news #વાઘોડિયા #Shri J J Form #Vaghodia GIDC
Here are a few more articles:
Read the Next Article