વડોદરા: મહાનગર પાલિકાએ ગેરકાયદેસર ચાલતી મટન અને ચિકનની 39 દુકાનોની કરી સીલ

મહાનગરપાલિકા દ્વારા શહેરમાં લાયસન્સ રજીસ્ટ્રેશન વગર ચાલતી ચીકન મટનની દુકાનો, ગેરકાયદેસર રીતે અનસ્ટેમ્પડ મીટ વેચતી મટનની દુકાનો સીલ કરવામાં આવી હતી

New Update
વડોદરા: મહાનગર પાલિકાએ ગેરકાયદેસર ચાલતી મટન અને ચિકનની 39 દુકાનોની કરી સીલ

રાજય સરકારની સુચના મુજબ વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં લાયસન્સ રજીસ્ટ્રેશન વગર ચાલતી ચીકન મટનની દુકાનો, ગેરકાયદેસર રીતે અનસ્ટેમ્પડ મીટ વેચતી મટનની દુકાનો સીલ કરવામાં આવી હતી

ગેરકાયદે ચાલતી મટનની દુકાનો બંધ કરવા હાઇકોર્ટે આદેશ આપતા જ વડોદરા મહાનગર પાલિકાએ શહેરના યાકુતપુરા, મોગલવાડા, બાવામાનપુરા અને કાલુપુરા વિસ્તારમાં ચાલતા ગેરકાયદે કતલખાના અને મટનની 22 દુકાનો સીલ અને 17ને બંધ કરાવી હતી.ગેરકાયદે કતલખાના અને મટનની દુકાનો હાઇકોર્ટના આદેશને પગલે દૂર થઇ હતી.હાઇકોર્ટે અમદાવાદ-સુરતના ગેરકાયદે કતલખાના મુદ્દે પાલિકાની ઝાટકણી કાઢી રાજ્ય સરકારને આદેશ કર્યો હતો કે 36 કલાકમાં રાજ્યની મટનની ગેરકાયદે દુકાનોને બંધ કરવામાં આવે.વડોદરા મહાનગર પાલિકાની માર્કેટ શાખાની ટીમે શહેરમાં લાયસન્સ વિના ચાલતી મટન અને ચિકનની 50 દુકાનોમાં ચેકિંગ હાથ કર્યું હતું. જેમાંથી 22 મટન-ચિકનની દુકાનો પાસે લાયસન્સ નહી હોવાનું ધ્યાને આવ્યું હતું. આ ઉપરાંત તે તમામ દુકાનો દ્વારા રજિસ્ટ્રેશન પણ કરાવ્યું ના હોવાનું જણાંતાં આ દુકાનોને સિલ કરી દેવામાં આવી હતી.

Read the Next Article

વડોદરા : ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો આજે ત્રીજો દિવસ, 18 લોકોના મોત, 2 લોકોની શોધખોળ યથાવત

નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકે, રેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છે, ત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી

New Update
  • વડોદરા-આણંદ વચ્ચે ગંભીરા બ્રિજ ઘટનાનો ત્રીજો દિવસ

  • દુર્ઘટનામાં 3 ટ્રક-બાઇક નદીમાંથી બહાર કાઢવામાં આવી

  • ઘટનામાં 18 લોકોના મોત2 લોકોની શોધખોળ યથાવત

  • સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી

  • NDRF દ્વારા 15 બોટ દ્વારા ચાલતું સતત રેસ્ક્યૂ ઓપરેશન

વડોદરા-આણંદ વચ્ચે આવેલ ગંભીરા બ્રિજ ગત તા. 9મી જુલાઈએ તૂટી પડતા 18 લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ સાથે જ 2 લોકો ગુમ હોવાથી તેમની શોધખોળ ચાલી રહી છે.

વિકસિત ગુજરાતમાં સર્જાયેલી વડોદરા-આણંદ ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 18 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. ઉપરાંત ગુમ થયેલા 2 લોકોની પણ શોધખોળ યથાવત રાખવામાં આવી છેત્યારે આ દુર્ઘટનાના 50 કલાક બાદ પણ નદીમાં પડી ગયેલા તમામ વાહનો અને ગુમ થયેલા લોકોને બહાર કાઢવામાં સફળતા ન મળતા સરકારની રેસ્ક્યૂ કામગીરીને લઈને પણ સવાલ ઉઠ્યા છે. નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકેરેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છેત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી.

નદીમાં ખાબકેલા ટ્રકમાં રહેલ સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થતું હોવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી આવી રહી છેજેથી સંપૂર્ણ કામગીરી ક્યારે પૂર્ણ થશે તે કહેવું હાલ મુશ્કેલ બન્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કેરેસ્ક્યૂ ઓપરેશન માટેNDRFએ વધુ એક બોટને મહીસાગર નદીમાં ઉતારી છેત્યારે હાલ 15 બોટ દ્વારા સતત રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે.

Latest Stories