વડોદરા : સાંસદ ડો.હેમાંગ જોષીએ શક્તિપીઠ પાવાગઢ મહાકાળી માતાજીને શીશ ઝુકાવી મંદિરે ધજા ચડાવી

વડોદરાના સાંસદ ડો.હેમાંગ જોષી દ્વારા શક્તિપીઠ પાવાગઢ ખાતે મહાકાળી માતાજીને ધજા ચડાવીને શીશ ઝુકાવ્યું હતું.પરિવાર સાથે તેઓએ માતાજીના દર્શન કર્યા હતા.

New Update
  • સાંસદની મહાકાળી માતાજી પ્રત્યે આસ્થા

  • ઢોલ નગારા સાથે પહોંચ્યા મંદિરના પટાંગણમાં

  • ડો.હેમાંગ જોષીએ પરિવાર સાથે કર્યા દર્શન

  • પાવાગઢ મંદિરે ચડાવી ધજા

  • માતાજી સમક્ષ ઝુકાવ્યું શીશ

વડોદરાના સાંસદ ડો.હેમાંગ જોષી દ્વારા શક્તિપીઠ પાવાગઢ ખાતે મહાકાળી માતાજીને ધજા ચડાવીને શીશ ઝુકાવ્યું હતું.પરિવાર સાથે તેઓએ માતાજીના દર્શન કર્યા હતા.

વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોષી દ્વારા શક્તિપીઠ પાવાગઢ ખાતે મહાકાળી માતાજીને ધજા ચડાવવામાં આવી હતી. હાલોલ નજીક આવેલા અતિ પ્રસિદ્ધ શક્તિપીઠ પાવાગઢ ખાતે સાંસદ ડોક્ટર હેમાંગ જોષી પોતાના પરિવાર સાથે પહોંચ્યા હતા,તેઓએ મહાકાળી માતાજીના ચરણોમાં આસ્થાભેર શીશ ઝુકાવ્યું હતું,અને મંદિરે ધજા ચડાવી હતી.ઢોલ નગારા સાથે તેઓ પરિવાર સાથે મંદિરના પટાંગણમાં પહોંચ્યા હતા અને પૂજા વિધિ કરી હતી.

 

Read the Next Article

વડોદરા : ઘર આંગણે જ બે વર્ષીય માસુમ બાળકીનું કાર નીચે કચડાઇ જતા કરૂણ મોત,અકસ્માત સર્જી ચાલક ફરાર

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.

New Update
  • મોરલીપુરામાં અકસ્માતનો બનાવ

  • ઘર આંગણે રમતી બાળા બની અકસ્માતનો ભોગ

  • બે વર્ષીય માસુમ બાળકીને બ્રેઝા કારે લીધી અડફેટમાં

  • કાર નીચે કચડાઈને માસૂમનું નીપજ્યું મોત

  • અકસ્માત સર્જીને કાર ચાલક ફરાર

  • જરોદ પોલીસે શરૂ કરી તપાસ 

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.બનાવને પગલે કાર ચાલક અકસ્માત સર્જી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.ઘટના અંગે જરોદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી.

સુરતના કોસંબાની ગ્લાસ કંપનીમાં નોકરી કરતા અને વડોદરાના વાઘોડિયા તાલુકાના મોરલીપુરા ગામના પરમાર ફળિયા ખાતે રહેતા પિયુષ પરમારને સંતાનમાં બે દીકરીઓ છે.જે પૈકી નાની દીકરી બે વર્ષીય યુક્તિ શનિવારે સાંજના સુમારે પોતાના ઘર બહાર રમી રહી હતી.આ દરમિયાન અચાનક એક બ્રેઝા કારના ચાલકે આ બાળકીને અડફેટે લેતા બાળકીનું કારના ટાયર નીચે કચડાઈ જતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.જેથી રોષે ભરાયેલા પરિવારજનોએ કારના કાચની તોડફોડ કરી હતી.જ્યારે કાર ચાલક ગામનો જ રહેવાસી ગણપત પરમાર અકસ્માત સર્જી ઘટના ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

સમગ્ર બનાવને પગલે પોલીસને જાણ કરાતા જરોદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતીઅને બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી હતી. બાળકીના પરિવારજનો દ્વારા જરોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જ્યારે પોલીસે પરિવારજનોની ફરિયાદના આધારે કાર ચાલકની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.