વડોદરા: મહાનગર પાલિકા દ્વારા સાત ગામોમાં આવેલા બોરિંગના પાણીના સેમ્પલ લેવાયા

શહેરના વિસ્તારમાં દિન પ્રતિદિન વધારો થતો રહે છે ત્યારે તાજેતરમાં જ વડોદરા શહેરની આસપાસ આવેલ ઓજી વિસ્તાર ઉપરાંત સાત ગામોનો શહેરમાં સમાવેશ કરવામાં આવ્યો હતો

New Update
વડોદરા: મહાનગર પાલિકા દ્વારા સાત ગામોમાં આવેલા બોરિંગના પાણીના સેમ્પલ લેવાયા

વડોદરા શહેરનો વ્યાપ વધી રહ્યો છે ત્યારે શહેરમાં નવા સાત ગામનો સમાવેશ થતા કોર્પોરેશન દ્વારા પાણી પુરવઠો પૂરું પાડતા પૂર્વે ગામોમાં આવેલા બોરિંગોના પાણીના સેમ્પલ લઈ લેબોરેટરીમાં પૃથ્થકરણ માટે મોકલી આપવામાં આવ્યા છે.

વડોદરા શહેરના વિસ્તારમાં દિન પ્રતિદિન વધારો થતો રહે છે ત્યારે તાજેતરમાં જ વડોદરા શહેરની આસપાસ આવેલ ઓજી વિસ્તાર ઉપરાંત સાત ગામોનો શહેરમાં સમાવેશ કરવામાં આવ્યો હતો જે ગામનો સમાવેશ થતાં કોર્પોરેશનની જવાબદારીમાં વધારો થયો હતો જેમાં ખાસ કરીને ગ્રામજનોની સ્વાસ્થ્યની કાળજી માટે પાણી પુરવઠા વિભાગ સૌ પ્રથમ એક્શનમાં આવ્યું હતું જેમાં તમામ ગામોમાં આવેલ 100 જેટલા બોરવેલમાંથી પાણીના સેમ્પલ મેળવ્યા હતા અને તમામ સેમ્પલો કોર્પોરેશનની પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં પૃથ્થકરણ અર્થે મોકલી આપવામાં આવ્યા હતા જ્યાં પાણીના સેમ્પલો ચેક કરી પાણીની ઘનતા, ટીડીએસ સહિતના પેરામીટર ચેક કરવામાં આવશે અને તેના રિપોર્ટ આવ્યા બાદ પાણી પુરવઠા વિભાગ જો પાણી પીવાલાયક છે કે નહીં તે નક્કી કર્યા બાદ નવા સમાવેશ વિસ્તારોમાં પીવાલાયક પાણી મળી રહે તેવી વ્યવસ્થા પૂરી પાડનાર છે

Read the Next Article

વડોદરા : ઘર આંગણે જ બે વર્ષીય માસુમ બાળકીનું કાર નીચે કચડાઇ જતા કરૂણ મોત,અકસ્માત સર્જી ચાલક ફરાર

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.

New Update
  • મોરલીપુરામાં અકસ્માતનો બનાવ

  • ઘર આંગણે રમતી બાળા બની અકસ્માતનો ભોગ

  • બે વર્ષીય માસુમ બાળકીને બ્રેઝા કારે લીધી અડફેટમાં

  • કાર નીચે કચડાઈને માસૂમનું નીપજ્યું મોત

  • અકસ્માત સર્જીને કાર ચાલક ફરાર

  • જરોદ પોલીસે શરૂ કરી તપાસ 

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.બનાવને પગલે કાર ચાલક અકસ્માત સર્જી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.ઘટના અંગે જરોદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી.

સુરતના કોસંબાની ગ્લાસ કંપનીમાં નોકરી કરતા અને વડોદરાના વાઘોડિયા તાલુકાના મોરલીપુરા ગામના પરમાર ફળિયા ખાતે રહેતા પિયુષ પરમારને સંતાનમાં બે દીકરીઓ છે.જે પૈકી નાની દીકરી બે વર્ષીય યુક્તિ શનિવારે સાંજના સુમારે પોતાના ઘર બહાર રમી રહી હતી.આ દરમિયાન અચાનક એક બ્રેઝા કારના ચાલકે આ બાળકીને અડફેટે લેતા બાળકીનું કારના ટાયર નીચે કચડાઈ જતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.જેથી રોષે ભરાયેલા પરિવારજનોએ કારના કાચની તોડફોડ કરી હતી.જ્યારે કાર ચાલક ગામનો જ રહેવાસી ગણપત પરમાર અકસ્માત સર્જી ઘટના ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

સમગ્ર બનાવને પગલે પોલીસને જાણ કરાતા જરોદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતીઅને બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી હતી. બાળકીના પરિવારજનો દ્વારા જરોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જ્યારે પોલીસે પરિવારજનોની ફરિયાદના આધારે કાર ચાલકની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.