વડોદરા : નંદેસરી GSP ક્રોપ સાયન્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા બાળકોને વિનામુલ્યે ચોપડાનું વિતરણ કરાયું...

વડોદરા જિલ્લાના નંદેસરી સ્થિત જીએસપી ક્રોપ સાયન્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા વિવિધ શાળાના બાળકોને વિનામૂલ્યે ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

New Update

વડોદરા જિલ્લાનાનંદેસરી સ્થિત જીએસપી ક્રોપ સાયન્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીદ્વારા વિવિધ શાળાના બાળકોનેવિનામૂલ્યેચોપડાનું વિતરણકરવામાં આવ્યું હતું.

વડોદરા જિલ્લાનાનંદેસરી સ્થિત જીએસપી ક્રોપ સાયન્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની બાળકોના સર્વાંગી વિકાસ માટે આગળ આવી છે. વિસ્તારના બાળકો અભ્યાસથી વંચિત ન રહે તેવા ઉમદા હેતુથી ગુજરાત ક્રોપ સાયન્સ કંપની દ્વારા આસપાસની તમામ શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓને વિનામૂલ્ય ચોપડાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. એક તરફ રાજ્ય સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીસહિતનાકાર્યક્રમો સમગ્ર રાજ્યમાં કરવામાં આવી રહ્યા છે,

ત્યારે નંદેસરી સ્થિત આવેલ જીએસપી ક્રોપ સાયન્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની વિદ્યાર્થીઓના ભવિષ્યની ચિંતા કરી તેમને અભ્યાસમાં કોઈ તકલીફ ન પડે તેવું વિચારી રહી છે. જીએસપી ક્રોપ સાયન્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા નંદેસરી વિદ્યાલયરૂપાપુરા પ્રાથમિક શાળાનંદેરી બાલવાટિકાકૃષ્ણનગર પ્રાથમિક શાળાદામાપુરા પ્રાથમિક શાળા અને રઢીયાપુરા પ્રાથમિક શાળામાં ભણતા વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ચોપડાનું વિતરણ કરી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ પ્રસંગે જીએસપી ક્રોપ સાયન્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર જયેશ વિસાવાડિયાદામાપુરા ગામના અગ્રણી જશવંતસિંહ પઢિયારઆસપાસના ગ્રામજનો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

વડોદરા : ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો આજે ત્રીજો દિવસ, 18 લોકોના મોત, 2 લોકોની શોધખોળ યથાવત

નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકે, રેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છે, ત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી

New Update
  • વડોદરા-આણંદ વચ્ચે ગંભીરા બ્રિજ ઘટનાનો ત્રીજો દિવસ

  • દુર્ઘટનામાં 3 ટ્રક-બાઇક નદીમાંથી બહાર કાઢવામાં આવી

  • ઘટનામાં 18 લોકોના મોત2 લોકોની શોધખોળ યથાવત

  • સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી

  • NDRF દ્વારા 15 બોટ દ્વારા ચાલતું સતત રેસ્ક્યૂ ઓપરેશન

વડોદરા-આણંદ વચ્ચે આવેલ ગંભીરા બ્રિજ ગત તા. 9મી જુલાઈએ તૂટી પડતા 18 લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ સાથે જ 2 લોકો ગુમ હોવાથી તેમની શોધખોળ ચાલી રહી છે.

વિકસિત ગુજરાતમાં સર્જાયેલી વડોદરા-આણંદ ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 18 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. ઉપરાંત ગુમ થયેલા 2 લોકોની પણ શોધખોળ યથાવત રાખવામાં આવી છેત્યારે આ દુર્ઘટનાના 50 કલાક બાદ પણ નદીમાં પડી ગયેલા તમામ વાહનો અને ગુમ થયેલા લોકોને બહાર કાઢવામાં સફળતા ન મળતા સરકારની રેસ્ક્યૂ કામગીરીને લઈને પણ સવાલ ઉઠ્યા છે. નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકેરેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છેત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી.

નદીમાં ખાબકેલા ટ્રકમાં રહેલ સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થતું હોવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી આવી રહી છેજેથી સંપૂર્ણ કામગીરી ક્યારે પૂર્ણ થશે તે કહેવું હાલ મુશ્કેલ બન્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કેરેસ્ક્યૂ ઓપરેશન માટેNDRFએ વધુ એક બોટને મહીસાગર નદીમાં ઉતારી છેત્યારે હાલ 15 બોટ દ્વારા સતત રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે.