વડોદરા : નંદેસરી GSP ક્રોપ સાયન્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા બાળકોને વિનામુલ્યે ચોપડાનું વિતરણ કરાયું...

વડોદરા જિલ્લાના નંદેસરી સ્થિત જીએસપી ક્રોપ સાયન્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા વિવિધ શાળાના બાળકોને વિનામૂલ્યે ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

New Update

વડોદરા જિલ્લાના નંદેસરી સ્થિત જીએસપી ક્રોપ સાયન્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા વિવિધ શાળાના બાળકોને વિનામૂલ્યે ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

વડોદરા જિલ્લાના નંદેસરી સ્થિત જીએસપી ક્રોપ સાયન્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની બાળકોના સર્વાંગી વિકાસ માટે આગળ આવી છે. વિસ્તારના બાળકો અભ્યાસથી વંચિત ન રહે તેવા ઉમદા હેતુથી ગુજરાત ક્રોપ સાયન્સ કંપની દ્વારા આસપાસની તમામ શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓને વિનામૂલ્ય ચોપડાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. એક તરફ રાજ્ય સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી સહિતના કાર્યક્રમો સમગ્ર રાજ્યમાં કરવામાં આવી રહ્યા છે, 

ત્યારે નંદેસરી સ્થિત આવેલ જીએસપી ક્રોપ સાયન્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની વિદ્યાર્થીઓના ભવિષ્યની ચિંતા કરી તેમને અભ્યાસમાં કોઈ તકલીફ ન પડે તેવું વિચારી રહી છે. જીએસપી ક્રોપ સાયન્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા નંદેસરી વિદ્યાલયરૂપાપુરા પ્રાથમિક શાળાનંદેરી બાલવાટિકાકૃષ્ણનગર પ્રાથમિક શાળાદામાપુરા પ્રાથમિક શાળા અને રઢીયાપુરા પ્રાથમિક શાળામાં ભણતા વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ચોપડાનું વિતરણ કરી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ પ્રસંગે જીએસપી ક્રોપ સાયન્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર જયેશ વિસાવાડિયાદામાપુરા ગામના અગ્રણી જશવંતસિંહ પઢિયારઆસપાસના ગ્રામજનો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

વડોદરા : ઘર આંગણે જ બે વર્ષીય માસુમ બાળકીનું કાર નીચે કચડાઇ જતા કરૂણ મોત,અકસ્માત સર્જી ચાલક ફરાર

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.

New Update
  • મોરલીપુરામાં અકસ્માતનો બનાવ

  • ઘર આંગણે રમતી બાળા બની અકસ્માતનો ભોગ

  • બે વર્ષીય માસુમ બાળકીને બ્રેઝા કારે લીધી અડફેટમાં

  • કાર નીચે કચડાઈને માસૂમનું નીપજ્યું મોત

  • અકસ્માત સર્જીને કાર ચાલક ફરાર

  • જરોદ પોલીસે શરૂ કરી તપાસ 

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.બનાવને પગલે કાર ચાલક અકસ્માત સર્જી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.ઘટના અંગે જરોદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી.

સુરતના કોસંબાની ગ્લાસ કંપનીમાં નોકરી કરતા અને વડોદરાના વાઘોડિયા તાલુકાના મોરલીપુરા ગામના પરમાર ફળિયા ખાતે રહેતા પિયુષ પરમારને સંતાનમાં બે દીકરીઓ છે.જે પૈકી નાની દીકરી બે વર્ષીય યુક્તિ શનિવારે સાંજના સુમારે પોતાના ઘર બહાર રમી રહી હતી.આ દરમિયાન અચાનક એક બ્રેઝા કારના ચાલકે આ બાળકીને અડફેટે લેતા બાળકીનું કારના ટાયર નીચે કચડાઈ જતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.જેથી રોષે ભરાયેલા પરિવારજનોએ કારના કાચની તોડફોડ કરી હતી.જ્યારે કાર ચાલક ગામનો જ રહેવાસી ગણપત પરમાર અકસ્માત સર્જી ઘટના ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

સમગ્ર બનાવને પગલે પોલીસને જાણ કરાતા જરોદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતીઅને બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી હતી. બાળકીના પરિવારજનો દ્વારા જરોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જ્યારે પોલીસે પરિવારજનોની ફરિયાદના આધારે કાર ચાલકની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.