વડોદરા : MS યુનિવર્સિટી ખાતે લઠ્ઠાકાંડના વિરોધમાં NSUI દ્વારા પ્રદર્શન યોજાયું ,હાથમાં પાણીની પોટલીઓ લીધી
બોટાદના કેમિકલ લઠ્ઠાકાંડનો મામલો, NSUIના કાર્યકરો દ્વારા હાથમાં પાણીની પોટલી બનાવી વિરોધ કર્યો
BY Connect Gujarat27 July 2022 11:07 AM GMT
X
Connect Gujarat27 July 2022 11:07 AM GMT
વડોદરા શહેરની એમ.એસ. યુનિવર્સિટી ખાતે NSUIના કાર્યકરો દ્વારા પાણીની પોટલીઓ બનાવી કેમિકલ લઠ્ઠાકાંડનો વિરોધ કરાયો હતો.
બોટાદમાં થયેલા કેમિકલ લઠ્ઠાકાંડમાં ૪૦ જેટલા લોકોના મોત મામલે વડોદરા શહેરની એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી ખાતે NSUIના કાર્યકર્તાઓએ પાણીની પોટલીઓ બનાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું . રાજ્યમાં દેશી દારૂની પોટલીઓ વેચાતી હોવાના આક્ષેપ કર્યા હતા. આ કેમિકલ લઠ્ઠાકાંડમાં મૃત્યુ પામેલા લોકોને આર્થિક સહાય આપવા પણ માંગ કરવામાં આવી હતી તેમજ NSUIના કાર્યકરો દ્વારા ગૃહમંત્રી હર્ષ સંઘવીના રાજીનાની માંગ કરાઇ હતી. વિરોધ પ્રદર્શન કરી રહેલા NSUIના ૧૦ જેટલા કાર્યકર્તાની સયાજીગંજ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.
Next Story