વડોદરા : દશેરાના પાવન અવસરે પોલીસ કમિશનરે કર્યું શસ્ત્ર પૂજન, અશ્વદળ પણ રહ્યું હાજર...

પોલીસ દ્વારા શસ્ત્ર અને અશ્વની પૂજા કરવામાં આવી છે. શસ્ત્રપૂજાનું અનેરું મહત્વ હોય છે. દશેરાના દિવસે ભગવાન રામે રાવણ પર વિજય મેળવ્યો હતો.

New Update
વડોદરા : દશેરાના પાવન અવસરે પોલીસ કમિશનરે કર્યું શસ્ત્ર પૂજન, અશ્વદળ પણ રહ્યું હાજર...

દર વર્ષે દશેરા નવરાત્રીના નવ દિવસ પૂરા થયા બાદ આવે છે. કહેવાય છે કે, લંકાનાં રાજા રાવણ ઉપર ભગવાન રામચંદ્રજીએ મેળવેલા વિજયના માનમાં આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે. જેથી તેનું બીજું નામ વિજયા દશમી પણ છે. ત્યારે દશેરાના દિવસે લોકો દ્વારા શસ્ત્રોની પૂજા કરવાની પરંપાર ખૂબ જૂની છે. જેથી આજે પણ લોકો દ્વારા દશેરાના દિવસે શસ્ત્રોનું પૂજન કરવામાં આવે છે, ત્યારે દશેરાના દિવસે વડોદરા જિલ્લા પોલીસ દ્વારા પણ શસ્ત્રોનું પૂજન કરવામાં આવ્યું હતું.

દશેરાના દિવસે વડોદરા પોલીસ દ્વારા શસ્ત્ર અને અશ્વની પૂજા કરવામાં આવી છે. શસ્ત્રપૂજાનું અનેરું મહત્વ હોય છે. દશેરાના દિવસે ભગવાન રામે રાવણ પર વિજય મેળવ્યો હતો. જેથી આજના દિવસે વડોદરા પોલીસના હેડક્વાટર પર શસ્ત્ર અને અશ્વ પૂજા કરવામાં આવી છે. જેમાં વડોદરા પોલીસ કમિશનર દ્વારા આ પૂજા કરવામાં આવી છે. તેમની સાથે સમગ્ર પોલીસનો સ્ટાફ આ પૂજામાં જોડાયો છે. પોલીસ દ્વારા અલગ-અલગ પ્રકારના શસ્ત્રોને સજાવવામાં આવ્યા છે. જેના પર ફૂલના હાર ચડાવી તેની પૂજા કરવામાં આવી રહી છે. અહીંયા તમામ પ્રકારની બંદૂકોની પૂજા કરવામાં આવી છે. તમામ શસ્ત્રોને કંકુના ચાંદલા કરીને તેમનું પૂજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વડોદરા પોલીસ કમિશનર સમશેરસિંહ દ્વારા અશ્વની પૂજા કરવામાં આવી હતી. પોલીસ હેડક્વાટર પર અશ્વને લાવવામાં આવ્યા બાદ તેને ફૂલનો હાર પહેરાવી કંકુનો ચાંદલો કરી તેની પૂજા કરવામાં આવી હતી. અશ્વની પૂજા બાદ તેમના દ્વારા તેમની ગાડીની પણ પૂજા કરવામાં આવે છે. જેમાં પોલીસ કમિશનર દ્વારા ગાડી સામે નાળિયેર ફોડીની ફૂલોનો હાર પહેરાવવામાં આવે છે. આ અંગે વડોદરા પોલીસ કમિશનરે જણાવ્યુ હતું કે, વિજય દશમી દશેરાના અવસરે હેડક્વાટર ખાતે શસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પૂજનમાં શસ્ત્રોની પૂજા કરી ભગવાનને પ્રાર્થના કરવામાં આવી કે, શસ્ત્રોના અસરકારક ઉપયોગ કરીને શહેરમાં શાંતિ અને સમૃદ્વિનું વાતાવરણ બનાવવામાં આવે. વધુમાં વિજય દશમી એક એવો તહેવાર છે. જેમાં અચ્છાઈનો બુરાઈ પર વિજય થાય છે. જેથી ભગવાનને એવી પણ પ્રાર્થના કરી છે કે, અમને એટલી સદબુદ્વિ આપે કે અમારી પાસે જેટલા સાધનો અને તાકાત છે તેનો ઉપયોગ કરી શહેરવાસીઓની રક્ષા કરીએ.

Read the Next Article

વડોદરા : ઘર આંગણે જ બે વર્ષીય માસુમ બાળકીનું કાર નીચે કચડાઇ જતા કરૂણ મોત,અકસ્માત સર્જી ચાલક ફરાર

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.

New Update
  • મોરલીપુરામાં અકસ્માતનો બનાવ

  • ઘર આંગણે રમતી બાળા બની અકસ્માતનો ભોગ

  • બે વર્ષીય માસુમ બાળકીને બ્રેઝા કારે લીધી અડફેટમાં

  • કાર નીચે કચડાઈને માસૂમનું નીપજ્યું મોત

  • અકસ્માત સર્જીને કાર ચાલક ફરાર

  • જરોદ પોલીસે શરૂ કરી તપાસ 

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.બનાવને પગલે કાર ચાલક અકસ્માત સર્જી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.ઘટના અંગે જરોદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી.

સુરતના કોસંબાની ગ્લાસ કંપનીમાં નોકરી કરતા અને વડોદરાના વાઘોડિયા તાલુકાના મોરલીપુરા ગામના પરમાર ફળિયા ખાતે રહેતા પિયુષ પરમારને સંતાનમાં બે દીકરીઓ છે.જે પૈકી નાની દીકરી બે વર્ષીય યુક્તિ શનિવારે સાંજના સુમારે પોતાના ઘર બહાર રમી રહી હતી.આ દરમિયાન અચાનક એક બ્રેઝા કારના ચાલકે આ બાળકીને અડફેટે લેતા બાળકીનું કારના ટાયર નીચે કચડાઈ જતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.જેથી રોષે ભરાયેલા પરિવારજનોએ કારના કાચની તોડફોડ કરી હતી.જ્યારે કાર ચાલક ગામનો જ રહેવાસી ગણપત પરમાર અકસ્માત સર્જી ઘટના ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

સમગ્ર બનાવને પગલે પોલીસને જાણ કરાતા જરોદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતીઅને બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી હતી. બાળકીના પરિવારજનો દ્વારા જરોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જ્યારે પોલીસે પરિવારજનોની ફરિયાદના આધારે કાર ચાલકની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.