વડોદરા : GIPCL કંપનીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ દોડતી થઈ, પણ શંકાસ્પદ વસ્તુ ન મળતા રાહત...

વડોદરા શહેરના ધનોરા ગામ નજીક આવેલ GIPCL કંપનીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈ-મેઈલ મળતા પોલીસ તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી.

New Update
  • ધનોરા ગામ નજીકની કંપનીને મળ્યો ધમકીભર્યો ઈ-મેઈલ

  • GIPCL કંપનીને બોમ્બથી ઉડાવી દેવાની મળી હતી ધમકી

  • ધમકીભર્યો ઈ-મેઈલ મળતા જિલ્લા પોલીસ તંત્ર દોડતું થયું

  • કંપનીમાંથી કોઈપણ શંકાસ્પદ વસ્તુ ન મળતા રાહતનો શ્વાસ

  • ખોટા ઇ-મેઈલને લઈ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાય

વડોદરા શહેરના ધનોરા ગામ નજીક આવેલGIPCL કંપનીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈ-મેઈલ મળતા પોલીસ તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી.

મળતી માહિતી અનુસારવડોદરા શહેરના જવાહરનગર પોલીસ હદ વિસ્તારમાં આવેલા ધનોરા ગામ પાસેGIPCL કંપનીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યા મેઈલને લઈ દોડધામ મચી જવા પામી હતી. બનાવની જાણ વડોદરા શહેર પોલીસને કરતાં ઉચ્ચ અધિકારીઓ સહિત વિવિધ તપાસ એજન્સીઓ ઘટનાસ્થળે દોડી આવી હતીજ્યાં 3 કલાક સુધી સર્ચ કર્યું હતું. પરંતુ કોઈ વાંધાજનક વસ્તુ ન મળતાં પોલીસ અને કર્મચારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. તો બીજી તરફમેઈલ મોકલનાર ઈસમની તપાસ હાથ ધરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કેઆ કંપનીમાં 40 કર્મચારી ફરજ બજાવે છે. જોકેકંપનીના એમડીને શ્રીનિવાસનના નામથી મેલ કરાયો હોવાનું સામે આવ્યું છેત્યારે આ અંગે કંપનીના સિક્યોરિટી હેડ દ્વારા જવાહનગર પોલીસ મથકમાં જાણવાજોગ ફરિયાદ દાખલ કરાય છેઅને તેના આધારે તપાસ કરવામાં આવશે કેઆ મેઈલ ક્યાંથી આવ્યો છેત્યારે ખોટા ઇ-મેઈલને લઈ પોલીસે તેના આઇપી એડ્રેસ અંતર્ગત વધુ કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

Read the Next Article

વડોદરા : પાદરા નજીક ગંભીરા બ્રિજ તૂટી પડતાં વાહન સમેત લોકો નદીમાં પડ્યા, 9 વ્યક્તિના મોતની શક્યતા..!

વડોદરા જિલ્લાના પાદરા નજીક આણંદ-વડોદરાને જોડતો ગંભીરા બ્રિજની વચ્ચેનો ભાગ તૂટી પડતાં વાહન સમેત કેટલાક લોકો નદીમાં પડ્યા હતા.

New Update
  • આણંદ-વડોદરાને જોડતા ગંભીરા બ્રિજ પર દુર્ઘટના

  • ગંભીરા બ્રિજની વચ્ચેનો ભાગ અચાનક તૂટી પડ્યો

  • બ્રિજ તૂટી પડતાં વાહન સમેત લોકો નદીમાં પડ્યા

  • દુર્ઘટનામાં 9 લોકોના મોત નિપજ્યા હોવાની શક્યતા

  • અન્ય ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા

વડોદરા જિલ્લાના પાદરા નજીક આણંદ-વડોદરાને જોડતો ગંભીરા બ્રિજની વચ્ચેનો ભાગ તૂટી પડતાં વાહન સમેત કેટલાક લોકો નદીમાં પડ્યા હતા. આ દુર્ઘટનામાં 9 લોકોના મોત નિપજ્યા હોવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છેજ્યારે અન્ય ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો વડોદરા જિલ્લાના પાદરા નજીક મહીસાગર નદી પરનો 45 વર્ષ જૂનો ગંભીરા બ્રિજ વહેલી સવારે તૂટી પડતા હાહાકાર મચી ગયો હતો. આ ઘટનામાં બ્રિજ ઉપરથી પસાર થઈ રહેલી 2 ટ્રકએક બોલેરો જીપ સહિત 4 વાહનો 2 કાંઠે વહેતી મહીસાગર નદીમાં ખાબક્યા હતા. છેલ્લા ઘણા વર્ષથી જર્જરિત ગંભીરા બ્રિજ તૂટ્યો હોવાની જાણ થતા જ મુજપુર ગામના લોકો બચાવ કામગીરી માટે ઘટનાસ્થળે દોડી આવ્યા હતાજ્યાં મહીસાગર નદીમાં પડેલા વાહનોમાંથી બહાર નીકળીને વહેતા પાણીમાં તરફડીયા મારતા લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. તો બીજી તરફબનાવની જાણ થતાં જ 20 જેટલી એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડની ગાડીઓ સહિત પાદરા પોલીસ કાફલો અનેNDRFની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી બચાવ કામગીરી હાથ ધરી હતી.

આ દુર્ઘટનામાં 9 લોકોના મોત નિપજ્યા હોવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છેજ્યારે 8 લોકોને રેસ્ક્યુ કરી બચાવી લેવાયા છે. પાદરા હોસ્પિટલમાં 6 અને વડોદરાની સયાજી હોસ્પિટલમાં 2 લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. સ્થાનિકોએ જણાવ્યું હતું કે45 વર્ષ જૂના ગંભીરા બ્રિજના સમારકામ માટે તંત્રને અનેક વખત ધ્યાન દોરવામાં આવ્યું હતું. પરંતુ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા આજે મોટી દુર્ઘટના સર્જાય છે. ઉલ્લેખનીય છે કેગંભીરા બ્રિજ તૂટી પડતા દક્ષિણ ગુજરાતના પ્રવાસન અને પરિવહન વ્યવસ્થામાં ભારે ખલેલ પહોંચશે. આ બ્રિજ ભરૂચસુરતનવસારીતાપી અને વલસાડ સહિતના મુસાફરો માટે સૌરાષ્ટ્ર જવા માટે ઓછો ફેરાવો અને જલ્દી પહોંચવા માટે ફાયદાકારક હતો. જોકેહવે આ  બ્રિજ તૂટી પડતા દક્ષિણ ગુજરાતના લોકોને સૌરાષ્ટ્ર જવા માટે ભારે મથામણ કરવી પડશે તેમ ચર્ચાઇ રહ્યું છે.