વડોદરા : GIPCL કંપનીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ દોડતી થઈ, પણ શંકાસ્પદ વસ્તુ ન મળતા રાહત...

વડોદરા શહેરના ધનોરા ગામ નજીક આવેલ GIPCL કંપનીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈ-મેઈલ મળતા પોલીસ તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી.

New Update
  • ધનોરા ગામ નજીકની કંપનીને મળ્યો ધમકીભર્યો ઈ-મેઈલ

  • GIPCL કંપનીને બોમ્બથી ઉડાવી દેવાની મળી હતી ધમકી

  • ધમકીભર્યો ઈ-મેઈલ મળતા જિલ્લા પોલીસ તંત્ર દોડતું થયું

  • કંપનીમાંથી કોઈપણ શંકાસ્પદ વસ્તુ ન મળતા રાહતનો શ્વાસ

  • ખોટા ઇ-મેઈલને લઈ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાય

વડોદરા શહેરના ધનોરા ગામ નજીક આવેલGIPCL કંપનીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈ-મેઈલ મળતા પોલીસ તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી.

મળતી માહિતી અનુસારવડોદરા શહેરના જવાહરનગર પોલીસ હદ વિસ્તારમાં આવેલા ધનોરા ગામ પાસેGIPCL કંપનીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યા મેઈલને લઈ દોડધામ મચી જવા પામી હતી. બનાવની જાણ વડોદરા શહેર પોલીસને કરતાં ઉચ્ચ અધિકારીઓ સહિત વિવિધ તપાસ એજન્સીઓ ઘટનાસ્થળે દોડી આવી હતીજ્યાં 3 કલાક સુધી સર્ચ કર્યું હતું. પરંતુ કોઈ વાંધાજનક વસ્તુ ન મળતાં પોલીસ અને કર્મચારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. તો બીજી તરફમેઈલ મોકલનાર ઈસમની તપાસ હાથ ધરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કેઆ કંપનીમાં 40 કર્મચારી ફરજ બજાવે છે. જોકેકંપનીના એમડીને શ્રીનિવાસનના નામથી મેલ કરાયો હોવાનું સામે આવ્યું છેત્યારે આ અંગે કંપનીના સિક્યોરિટી હેડ દ્વારા જવાહનગર પોલીસ મથકમાં જાણવાજોગ ફરિયાદ દાખલ કરાય છેઅને તેના આધારે તપાસ કરવામાં આવશે કેઆ મેઈલ ક્યાંથી આવ્યો છેત્યારે ખોટા ઇ-મેઈલને લઈ પોલીસે તેના આઇપી એડ્રેસ અંતર્ગત વધુ કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

Read the Next Article

વડોદરા : ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો આજે ત્રીજો દિવસ, 18 લોકોના મોત, 2 લોકોની શોધખોળ યથાવત

નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકે, રેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છે, ત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી

New Update
  • વડોદરા-આણંદ વચ્ચે ગંભીરા બ્રિજ ઘટનાનો ત્રીજો દિવસ

  • દુર્ઘટનામાં 3 ટ્રક-બાઇક નદીમાંથી બહાર કાઢવામાં આવી

  • ઘટનામાં 18 લોકોના મોત2 લોકોની શોધખોળ યથાવત

  • સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી

  • NDRF દ્વારા 15 બોટ દ્વારા ચાલતું સતત રેસ્ક્યૂ ઓપરેશન

વડોદરા-આણંદ વચ્ચે આવેલ ગંભીરા બ્રિજ ગત તા. 9મી જુલાઈએ તૂટી પડતા 18 લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ સાથે જ 2 લોકો ગુમ હોવાથી તેમની શોધખોળ ચાલી રહી છે.

વિકસિત ગુજરાતમાં સર્જાયેલી વડોદરા-આણંદ ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 18 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. ઉપરાંત ગુમ થયેલા 2 લોકોની પણ શોધખોળ યથાવત રાખવામાં આવી છેત્યારે આ દુર્ઘટનાના 50 કલાક બાદ પણ નદીમાં પડી ગયેલા તમામ વાહનો અને ગુમ થયેલા લોકોને બહાર કાઢવામાં સફળતા ન મળતા સરકારની રેસ્ક્યૂ કામગીરીને લઈને પણ સવાલ ઉઠ્યા છે. નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકેરેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છેત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી.

નદીમાં ખાબકેલા ટ્રકમાં રહેલ સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થતું હોવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી આવી રહી છેજેથી સંપૂર્ણ કામગીરી ક્યારે પૂર્ણ થશે તે કહેવું હાલ મુશ્કેલ બન્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કેરેસ્ક્યૂ ઓપરેશન માટેNDRFએ વધુ એક બોટને મહીસાગર નદીમાં ઉતારી છેત્યારે હાલ 15 બોટ દ્વારા સતત રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે.