વડોદરા : જૂના સમલાયા નજીક બ્રિજની કામગીરીમાં સળિયા સહિત વિકાસનો ચહેરો દેખાઈ આવતા જનઆક્રોશ...

2 વર્ષ પૂર્વે નિર્માણ પામેલ બ્રિજમાં બ્રીજની મધ્ય સહિત અનેક જગ્યાએ મસમોટા ગાબડાં પડતાં ઇજારદાર દ્વારા કરાયેલી કામગીરીની ગુણવત્તા પર સવાલો ઉઠ્યા

New Update

સાવલી તાલુકાનો વધુ એક બ્રિજ બન્યો બિસ્માર

2 વર્ષ પૂર્વે નિર્માણ પામેલ બ્રિજમાં ગાબડાં પડ્યા

ગાબડાંના કારણે અનેક વાહનચાલકોને હાલાકી

બ્રિજની કામગીરીમાં ગુણવત્તા પર સવાલો ઉઠ્યા

મોટો ભ્રષ્ટાચાર થયો હોવાનો લોકોએ આક્ષેપ કર્યો

વડોદરા જિલ્લાના સાવલી-જરોદ રોડ પર જૂના સમલાયા ગામ નજીક 2 વર્ષ પૂર્વે નિર્માણ પામેલ બ્રિજમાં મસમોટા ગાબડાં પડતાં કામગીરીમાં મોટો ભ્રષ્ટાચાર થયો હોવાનો લોકોએ આક્ષેપ કર્યો છે.

વડોદરા જિલ્લાના સાવલી-જરોદ રોડ પર આવેલા ઔદ્યોગિક એકમો સહિતના પરિવહનમાં સમલાયા જંકશન રેલવે ફાટકના કારણે સમયનો બચાવ અને ફાટક મુક્ત અભિયાન અંતર્ગત કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલ રેલવે ઓવરબ્રીજ તત્કાલીન માર્ગ અને મકાન મંત્રીના વરદહસ્તે લોકાર્પણ કરવામાં આવ્યો હતો. જે બ્રીજની મધ્ય સહિત અનેક જગ્યાએ મસમોટા ગાબડાં પડતાં ઇજારદાર દ્વારા કરાયેલી કામગીરીની ગુણવત્તા પર સવાલો ઉઠ્યા હતા.

અંદાજીત રૂ. 40 કરોડ ઉપરાંતના ખર્ચે રેલવે ઓવરબ્રીજનું નિર્માણ કરાયું હતું. જેનું સાંસદસ્થાનિક ધારાસભ્ય સહિત અધિકારીઓ પદાધિકારીઓ અને અગ્રણીઓની ઉપસ્થિતીમાં ધામધૂમથી લોકાર્પણ કરાયું હતું. જેના 2 વર્ષ બાદ આ બહુજન ઉપયોગી રેલવે ઓવરબ્રિજની મધ્યમાં અસંખ્ય ગાબડાં અને કોન્ક્રીટમાં ઉપયોગમાં લેવાયેલા સળિયા સહિત વિકાસનો ચહેરો દેખાઈ આવતા જનઆક્રોશ જોવા મળ્યો હતોઅને ઇજારદાર દ્વ્રારા કરાયેલ નિર્માણ કાર્યની ગુણવત્તા પર સવાલો ઉઠાવ્યા હતા.

Read the Next Article

વડોદરા : ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો આજે ત્રીજો દિવસ, 18 લોકોના મોત, 2 લોકોની શોધખોળ યથાવત

નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકે, રેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છે, ત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી

New Update
  • વડોદરા-આણંદ વચ્ચે ગંભીરા બ્રિજ ઘટનાનો ત્રીજો દિવસ

  • દુર્ઘટનામાં 3 ટ્રક-બાઇક નદીમાંથી બહાર કાઢવામાં આવી

  • ઘટનામાં 18 લોકોના મોત2 લોકોની શોધખોળ યથાવત

  • સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી

  • NDRF દ્વારા 15 બોટ દ્વારા ચાલતું સતત રેસ્ક્યૂ ઓપરેશન

વડોદરા-આણંદ વચ્ચે આવેલ ગંભીરા બ્રિજ ગત તા. 9મી જુલાઈએ તૂટી પડતા 18 લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ સાથે જ 2 લોકો ગુમ હોવાથી તેમની શોધખોળ ચાલી રહી છે.

વિકસિત ગુજરાતમાં સર્જાયેલી વડોદરા-આણંદ ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 18 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. ઉપરાંત ગુમ થયેલા 2 લોકોની પણ શોધખોળ યથાવત રાખવામાં આવી છેત્યારે આ દુર્ઘટનાના 50 કલાક બાદ પણ નદીમાં પડી ગયેલા તમામ વાહનો અને ગુમ થયેલા લોકોને બહાર કાઢવામાં સફળતા ન મળતા સરકારની રેસ્ક્યૂ કામગીરીને લઈને પણ સવાલ ઉઠ્યા છે. નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકેરેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છેત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી.

નદીમાં ખાબકેલા ટ્રકમાં રહેલ સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થતું હોવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી આવી રહી છેજેથી સંપૂર્ણ કામગીરી ક્યારે પૂર્ણ થશે તે કહેવું હાલ મુશ્કેલ બન્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કેરેસ્ક્યૂ ઓપરેશન માટેNDRFએ વધુ એક બોટને મહીસાગર નદીમાં ઉતારી છેત્યારે હાલ 15 બોટ દ્વારા સતત રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે.