વડોદરા: પૂરગ્રસ્તોના ઘા પર મંત્રી દ્વારા રાહત સામગ્રીનું મલમ, તો કેટલાક વિસ્તારમાં રાહત કિટનો કરાયો અસ્વીકાર

વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીના ઘોડાપૂરે સર્જેલી તારાજી બાદ અસરગ્રસ્તો માટે રાજ્યના શિક્ષણ મંત્રી દ્વારા રાહત સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું,

New Update

વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીના ઘોડાપૂરે સર્જેલી તારાજી બાદ અસરગ્રસ્તો માટે રાજ્યના શિક્ષણ મંત્રી દ્વારા રાહત સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું,જોકે કેટલાક પૂરગ્રસ્તોએ આ સહાયનો અસ્વીકાર પણ કર્યો હતો.

વડોદરા શહેરને ધમરોળનાર વિશ્વામિત્રી નદીના પૂરમાં લોકોએ મોટી નુકસાની વેઠવાનો વારો આવ્યો છે,જેના કારણે લોકો વહીવટી તંત્ર પર આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે.ત્યારે  ભારતીય જનતા પાર્ટી દ્વારા વાઘોડિયા રોડ પર આવેલ સોસાયટીઓના પૂરગ્રસ્ત લોકોને રાહત સામગ્રી આપવાના કાર્યક્રમમાં રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડીંડોર ઉપસ્થિત રહ્યા હતા. અને વાઘોડીયાની સાંઈ વિહાર સોસાયટી સહિતના વિસ્તારોમાં કીટ વિતરણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ તેમજ વિસ્તારના કાઉન્સિલર તથા ભાજપના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.આ પ્રસંગે મંત્રી કુબેર ડીંડોર દ્વારા જે શાળાઓમાં પૂરના પાણી ભરાયા હતા ત્યાં પણ મુલાકાત કરીને તે માટે સર્વે પણ કરવામાં આવશે તેમ તેઓએ જણાવ્યું હતું,અને ફરીથી શિક્ષણ રાબેતા મુજબ શરૂ થાય તેવા પ્રયાસો પણ હાથ ધરીને શાળા કોલેજમાં પુસ્તકો સહિતનો સામાન, પલળી  ગયો છે,તે સર્વેની કામગીરી પણ વહેલી તકે શરૂ કરવાની બાંહેધરી મંત્રીએ આપી હતી.

ઉલ્લેખનીય છે કે વાઘોડિયા રોડની કેટલીક સોસાયટીઓમાં રાજ્યના શિક્ષણ મંત્રી કીટ વિતરણ કરવા આવ્યા હતા,ત્યારે લોકોએ કીટનો અસ્વીકાર પણ કર્યો હતો,અને પોતાની વેદના મંત્રી સમક્ષ ઠાલવી હતી.
Read the Next Article

વડોદરા : ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો આજે ત્રીજો દિવસ, 18 લોકોના મોત, 2 લોકોની શોધખોળ યથાવત

નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકે, રેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છે, ત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી

New Update
  • વડોદરા-આણંદ વચ્ચે ગંભીરા બ્રિજ ઘટનાનો ત્રીજો દિવસ

  • દુર્ઘટનામાં 3 ટ્રક-બાઇક નદીમાંથી બહાર કાઢવામાં આવી

  • ઘટનામાં 18 લોકોના મોત2 લોકોની શોધખોળ યથાવત

  • સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી

  • NDRF દ્વારા 15 બોટ દ્વારા ચાલતું સતત રેસ્ક્યૂ ઓપરેશન

વડોદરા-આણંદ વચ્ચે આવેલ ગંભીરા બ્રિજ ગત તા. 9મી જુલાઈએ તૂટી પડતા 18 લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ સાથે જ 2 લોકો ગુમ હોવાથી તેમની શોધખોળ ચાલી રહી છે.

વિકસિત ગુજરાતમાં સર્જાયેલી વડોદરા-આણંદ ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 18 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. ઉપરાંત ગુમ થયેલા 2 લોકોની પણ શોધખોળ યથાવત રાખવામાં આવી છેત્યારે આ દુર્ઘટનાના 50 કલાક બાદ પણ નદીમાં પડી ગયેલા તમામ વાહનો અને ગુમ થયેલા લોકોને બહાર કાઢવામાં સફળતા ન મળતા સરકારની રેસ્ક્યૂ કામગીરીને લઈને પણ સવાલ ઉઠ્યા છે. નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકેરેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છેત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી.

નદીમાં ખાબકેલા ટ્રકમાં રહેલ સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થતું હોવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી આવી રહી છેજેથી સંપૂર્ણ કામગીરી ક્યારે પૂર્ણ થશે તે કહેવું હાલ મુશ્કેલ બન્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કેરેસ્ક્યૂ ઓપરેશન માટેNDRFએ વધુ એક બોટને મહીસાગર નદીમાં ઉતારી છેત્યારે હાલ 15 બોટ દ્વારા સતત રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે.