વડોદરા: પૂરગ્રસ્તોના ઘા પર મંત્રી દ્વારા રાહત સામગ્રીનું મલમ, તો કેટલાક વિસ્તારમાં રાહત કિટનો કરાયો અસ્વીકાર

વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીના ઘોડાપૂરે સર્જેલી તારાજી બાદ અસરગ્રસ્તો માટે રાજ્યના શિક્ષણ મંત્રી દ્વારા રાહત સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું,

New Update

વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીના ઘોડાપૂરે સર્જેલી તારાજી બાદ અસરગ્રસ્તો માટે રાજ્યના શિક્ષણ મંત્રી દ્વારા રાહત સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું,જોકે કેટલાક પૂરગ્રસ્તોએ આ સહાયનો અસ્વીકાર પણ કર્યો હતો.

વડોદરા શહેરને ધમરોળનાર વિશ્વામિત્રી નદીના પૂરમાં લોકોએ મોટી નુકસાની વેઠવાનો વારો આવ્યો છે,જેના કારણે લોકો વહીવટી તંત્ર પર આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે.ત્યારે  ભારતીય જનતા પાર્ટી દ્વારા વાઘોડિયા રોડ પર આવેલ સોસાયટીઓના પૂરગ્રસ્ત લોકોને રાહત સામગ્રી આપવાના કાર્યક્રમમાં રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડીંડોર ઉપસ્થિત રહ્યા હતા. અને વાઘોડીયાની સાંઈ વિહાર સોસાયટી સહિતના વિસ્તારોમાં કીટ વિતરણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ તેમજ વિસ્તારના કાઉન્સિલર તથા ભાજપના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.આ પ્રસંગે મંત્રી કુબેર ડીંડોર દ્વારા જે શાળાઓમાં પૂરના પાણી ભરાયા હતા ત્યાં પણ મુલાકાત કરીને તે માટે સર્વે પણ કરવામાં આવશે તેમ તેઓએ જણાવ્યું હતું,અને ફરીથી શિક્ષણ રાબેતા મુજબ શરૂ થાય તેવા પ્રયાસો પણ હાથ ધરીને શાળા કોલેજમાં પુસ્તકો સહિતનો સામાન, પલળી  ગયો છે,તે સર્વેની કામગીરી પણ વહેલી તકે શરૂ કરવાની બાંહેધરી મંત્રીએ આપી હતી.

ઉલ્લેખનીય છે કે વાઘોડિયા રોડની કેટલીક સોસાયટીઓમાં રાજ્યના શિક્ષણ મંત્રી કીટ વિતરણ કરવા આવ્યા હતા,ત્યારે લોકોએ કીટનો અસ્વીકાર પણ કર્યો હતો,અને પોતાની વેદના મંત્રી સમક્ષ ઠાલવી હતી.
Read the Next Article

વડોદરા : ઘર આંગણે જ બે વર્ષીય માસુમ બાળકીનું કાર નીચે કચડાઇ જતા કરૂણ મોત,અકસ્માત સર્જી ચાલક ફરાર

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.

New Update
  • મોરલીપુરામાં અકસ્માતનો બનાવ

  • ઘર આંગણે રમતી બાળા બની અકસ્માતનો ભોગ

  • બે વર્ષીય માસુમ બાળકીને બ્રેઝા કારે લીધી અડફેટમાં

  • કાર નીચે કચડાઈને માસૂમનું નીપજ્યું મોત

  • અકસ્માત સર્જીને કાર ચાલક ફરાર

  • જરોદ પોલીસે શરૂ કરી તપાસ 

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.બનાવને પગલે કાર ચાલક અકસ્માત સર્જી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.ઘટના અંગે જરોદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી.

સુરતના કોસંબાની ગ્લાસ કંપનીમાં નોકરી કરતા અને વડોદરાના વાઘોડિયા તાલુકાના મોરલીપુરા ગામના પરમાર ફળિયા ખાતે રહેતા પિયુષ પરમારને સંતાનમાં બે દીકરીઓ છે.જે પૈકી નાની દીકરી બે વર્ષીય યુક્તિ શનિવારે સાંજના સુમારે પોતાના ઘર બહાર રમી રહી હતી.આ દરમિયાન અચાનક એક બ્રેઝા કારના ચાલકે આ બાળકીને અડફેટે લેતા બાળકીનું કારના ટાયર નીચે કચડાઈ જતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.જેથી રોષે ભરાયેલા પરિવારજનોએ કારના કાચની તોડફોડ કરી હતી.જ્યારે કાર ચાલક ગામનો જ રહેવાસી ગણપત પરમાર અકસ્માત સર્જી ઘટના ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

સમગ્ર બનાવને પગલે પોલીસને જાણ કરાતા જરોદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતીઅને બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી હતી. બાળકીના પરિવારજનો દ્વારા જરોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જ્યારે પોલીસે પરિવારજનોની ફરિયાદના આધારે કાર ચાલકની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.