વડોદરા: સમા કેનાલ રોડ ઉપર સ્કોર્પિયો ચાલકે પતિ પત્નીને અડફેટે લીધા, મહિલાનું ઘટના સ્થળે મોત.

માહિતી અનુસાર વડોદરા શહેરના સમા કેનાલ રોડ ઉપર રાત્રિના 11 વાગ્યાના સુમારે અકસ્માતની ઘટના સામે આવી હતી પતિ પત્ની ચાલવા માટે નીકળ્યા હતા.

New Update

વડોદરા શહેરના સમા કેનાલ રોડ ઉપર એક અકસ્માતની ઘટના સામે આવી હતી જેમાં સ્કોર્પિયો ચાલકે દંપતી જોડને અડફેટે લીધા હતા.

માહિતી અનુસાર વડોદરા શહેરના સમા કેનાલ રોડ ઉપર રાત્રિના 11 વાગ્યાના સુમારે અકસ્માતની ઘટના સામે આવી હતી પતિ પત્ની ચાલવા માટે નીકળ્યા હતા. તે દરમ્યાન  એક સ્કોર્પિયો ગાડી પૂર ઝડપે આવીને બંને પતિ પત્નીને અડફેટે લીધા હતા અકસ્માત કરીને ગાડી સીધી એમ્પાયર હોસ્પિટલ ના કમ્પાઉન્ડમાં ઘૂસીને પલટી મારી ગઈ હતી.. આ બનાવમાં શિલ્પાબેન વિપુલભાઈ કટુડીયા નામના મહિલાનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું અને પતિને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે... સામે આવતી માહિતી અનુસાર અકસ્માત કરનાર ડ્રાઇવર આ ઘટના બાદ મહિલાને જોવા પણ ગયો હતો પરંતુ મહિલાની હાલત જોયા બાદ ફરાર થઈ ગયો હતો.. ઘટનાની જાણ થતા સમા પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે..

Read the Next Article

વડોદરા : ઘર આંગણે જ બે વર્ષીય માસુમ બાળકીનું કાર નીચે કચડાઇ જતા કરૂણ મોત,અકસ્માત સર્જી ચાલક ફરાર

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.

New Update
  • મોરલીપુરામાં અકસ્માતનો બનાવ

  • ઘર આંગણે રમતી બાળા બની અકસ્માતનો ભોગ

  • બે વર્ષીય માસુમ બાળકીને બ્રેઝા કારે લીધી અડફેટમાં

  • કાર નીચે કચડાઈને માસૂમનું નીપજ્યું મોત

  • અકસ્માત સર્જીને કાર ચાલક ફરાર

  • જરોદ પોલીસે શરૂ કરી તપાસ 

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.બનાવને પગલે કાર ચાલક અકસ્માત સર્જી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.ઘટના અંગે જરોદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી.

સુરતના કોસંબાની ગ્લાસ કંપનીમાં નોકરી કરતા અને વડોદરાના વાઘોડિયા તાલુકાના મોરલીપુરા ગામના પરમાર ફળિયા ખાતે રહેતા પિયુષ પરમારને સંતાનમાં બે દીકરીઓ છે.જે પૈકી નાની દીકરી બે વર્ષીય યુક્તિ શનિવારે સાંજના સુમારે પોતાના ઘર બહાર રમી રહી હતી.આ દરમિયાન અચાનક એક બ્રેઝા કારના ચાલકે આ બાળકીને અડફેટે લેતા બાળકીનું કારના ટાયર નીચે કચડાઈ જતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.જેથી રોષે ભરાયેલા પરિવારજનોએ કારના કાચની તોડફોડ કરી હતી.જ્યારે કાર ચાલક ગામનો જ રહેવાસી ગણપત પરમાર અકસ્માત સર્જી ઘટના ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

સમગ્ર બનાવને પગલે પોલીસને જાણ કરાતા જરોદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતીઅને બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી હતી. બાળકીના પરિવારજનો દ્વારા જરોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જ્યારે પોલીસે પરિવારજનોની ફરિયાદના આધારે કાર ચાલકની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.