Connect Gujarat
વડોદરા 

વડોદરા : “VC લાપતા”, MSU કેમ્પસમાં ઠેર ઠેર પોસ્ટરો લાગતાં રાજકીય માહોલ ગરમાયો..!

વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં વાઇસ ચાન્સેલર લાપતા થયા એટલે કે, ખોવાયા હોવાના પોસ્ટરો લગાડવામાં આવ્યા

વડોદરા : “VC લાપતા”, MSU કેમ્પસમાં ઠેર ઠેર પોસ્ટરો લાગતાં રાજકીય માહોલ ગરમાયો..!
X

વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં વાઇસ ચાન્સેલર લાપતા થયા એટલે કે, ખોવાયા હોવાના પોસ્ટરો લગાડવામાં આવ્યા છે. જોકે, પોસ્ટરો લાગતા જ યુનિવર્સિટીમાં રાજકીય માહોલ ગરમાયો છે. તો બીજી તરફ, મળનારી સિન્ડીકેટની બેઠક તોફાની બને તેવી પણ પૂરેપુરી શક્યતાઓ સેવાઇ રહી છે.

વડોદરાની એમ.એસ.યુનિ.માં વાઇસ ચાન્સેલર પોતાની મનમાની કરવા માટે જાણીતા હોવાની વિદ્યાર્થીઓમાં ચર્ચા ચાલી રહી છે. તેઓ એ હદે મનમાની ચલાવે છે કે, સિન્ડીકેટ મેમ્બરો દ્વારા રજૂ કરવામાં આવતી વિદ્યાર્થીના હિતની વાતો પણ સાઇડ પર મુકાઇ જાય છે, ત્યારે તાજેતરમાં સિન્ડીકેટ મેમ્બરોએ બેઠકમાંથી વોક આઉટ કર્યું હતું. છતાં પણ તેમના વર્તનમાં કોઇ સુધારો જણાયો નથી. યુનિ.માં સિન્ડીકેટની બેઠક મળવા જઇ રહી છે, તે પહેલા યુનિ કેમ્પસમાં ઠેર ઠેર એમ.એસ.યુ.ના વાઇસ ચાન્સેલર ડો. વિજય કુમાર શ્રીવાસ્તવ ખોવાયા છે, તેવા પોસ્ટરો લગાડવામાં આવ્યા છે. પોસ્ટરો લાગવાને કારણે યુનિ. રાજકારણમાં ગરમાવો આવ્યો છે. આ પોસ્ટરમાં વીસીનો ફોટો પણ લગાડવામાં આવ્યો છે. જેમાં વીસી લાપતા થયા હોવાનો ઉલ્લેખ છે. એટલું જ નહીં તેમણે પ્રશ્નો પુછતા લખવામાં આવ્યું છે કે, પદવીદાન સમારોહની તારીખ જણાવવાનો કષ્ટ કરો, ગત વર્ષના ફોલ્ડર અને સ્કાર્ફ આપવાનો કષ્ટ કરો, અને 30 હજાર વિદ્યાર્થીઓને માર્કશીટ પહોંચાડવાનો કષ્ટ કરો. આ પોસ્ટર મહારાજા સયાજીરાવ દ્વારા શિક્ષાના ઉદ્દેશ્યથી દાનમાં આપવામાં આવેલી યુનિ.ના વિદ્યાર્થી દ્વારા લખવામાં આવ્યા હોવાનું જણાવવામાં આવ્યું છે. સુત્રોના જણાવ્યા અનુસાર, મળનારી સિન્ડીકેટની બેઠક ભારે તોફાની બની રહેવાની આગાહી છે. વીસીના સ્વચ્છંદી વલણના કારણે વિદ્યાર્થીઓ ભોગવી રહ્યા છે, ત્યારે હવે વિદ્યાર્થીઓની સાથે સાથે સિન્ડીકેટ મેમ્બર પણ લડી લેવાના મુડમાં છે.

Next Story