વડોદરા: હાઇકોર્ટમાં પિટિશન દાખલ થતા જ વાઇસ ચાન્સેલરે આપ્યું રાજીનામુ,તેઓની નિમણુંક હતી વિવાદોમાં

વાઇસ ચાન્સેલરની જ્યારથી નિમણુંક થઈ હતી,ત્યારથી તેઓ વિવાદમાં રહ્યા હતા. વિવાદ અને વાઇસ ચાન્સેલર પર્યાય બની ગયા હતા. ત્યારે તેઓ સામે હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી હતી

New Update
  • એમ એસ યુનિવર્સિટીના VCનું રાજીનામુ

  • નિમણૂક થઈ હતી ત્યારથી તેઓ હતા વિવાદમાં

  • વિવાદ અને વાઇસ ચાન્સેલર પર્યાય બની ગયા

  • તેઓ સામે હાઇકોર્ટમાં કરવામાં આવી પિટિશન

  • VCએ પિટિશન બાદ લીધો રાજીનામાનો નિર્ણય

વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરની જ્યારથી નિમણુંક થઈ હતી,ત્યારથી તેઓ વિવાદમાં રહ્યા હતા. વિવાદ અને વાઇસ ચાન્સેલર પર્યાય બની ગયા હતા. ત્યારે તેઓ સામે હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી હતી.જે બાદ તેઓએ આજે રાજીનામું આપી દીધું છે.

પ્રોફેસર શ્રીવાસ્તવની કુલપતિ તરીકેની નિમણૂક વિવાદોમાં હતી અને યુનિવર્સિટીના વરિષ્ઠ પ્રોફેસર સતીશ પાઠક દ્વારા તેને કોર્ટમાં ચેલેન્જ કરવામાં આવી હતી. આજે પ્રોફેસર વિજય કુમાર શ્રીવાસ્તવે રાજીનામું આપી દીધું છે.તે દર્શાવે છે કે એમની નિમણૂંક ગેરકાયદેસર રીતે કરવામાં આવી હતી અને એલિજિબિલિટી ક્રાઈટેરિયાનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું.પ્રોફેસર વિજયકુમાર શ્રીવાસ્તવ કુલપતિ બનવા માટે જરૂરી એવો દસ વર્ષનો અનુભવ પ્રોફેસર તરીકેનો ધરાવતા ન હતા.

જે સર્ચ કમિટી બનાવવામાં આવી હતી એ સર્ચ કમિટીમાં પણ યુજીસીના રીપ્રેઝન્ટેટિવને સમાવવામાં આવ્યા ન હતા.તેવું પ્રોફેસર સતીશ પાઠક દ્વારા જણાવવામાં આવ્યું હતું. જ્યારે પ્રોફેસર શ્રીવાસ્તવનો વાઇસ ચાન્સેલર તરીકેનો કાર્યકાળ પૂરો થવામાં એક મહિનો બાકી છે.

ત્યારે જ કોર્ટમાં એની સુનાવણી થઈ હતી અને વિજયકુમાર શ્રીવાસ્તવ એલિજિબિલિટી પુરવાર કરવામાં નિષ્ફળ ગયા હોય તેવું જણાઈ આવ્યું હતું અને તેમનું રાજીનામું સરકાર દ્વારા લઈ લેવામાં આવ્યું છે.

Read the Next Article

વડોદરા : ઘર આંગણે જ બે વર્ષીય માસુમ બાળકીનું કાર નીચે કચડાઇ જતા કરૂણ મોત,અકસ્માત સર્જી ચાલક ફરાર

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.

New Update
  • મોરલીપુરામાં અકસ્માતનો બનાવ

  • ઘર આંગણે રમતી બાળા બની અકસ્માતનો ભોગ

  • બે વર્ષીય માસુમ બાળકીને બ્રેઝા કારે લીધી અડફેટમાં

  • કાર નીચે કચડાઈને માસૂમનું નીપજ્યું મોત

  • અકસ્માત સર્જીને કાર ચાલક ફરાર

  • જરોદ પોલીસે શરૂ કરી તપાસ 

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.બનાવને પગલે કાર ચાલક અકસ્માત સર્જી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.ઘટના અંગે જરોદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી.

સુરતના કોસંબાની ગ્લાસ કંપનીમાં નોકરી કરતા અને વડોદરાના વાઘોડિયા તાલુકાના મોરલીપુરા ગામના પરમાર ફળિયા ખાતે રહેતા પિયુષ પરમારને સંતાનમાં બે દીકરીઓ છે.જે પૈકી નાની દીકરી બે વર્ષીય યુક્તિ શનિવારે સાંજના સુમારે પોતાના ઘર બહાર રમી રહી હતી.આ દરમિયાન અચાનક એક બ્રેઝા કારના ચાલકે આ બાળકીને અડફેટે લેતા બાળકીનું કારના ટાયર નીચે કચડાઈ જતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.જેથી રોષે ભરાયેલા પરિવારજનોએ કારના કાચની તોડફોડ કરી હતી.જ્યારે કાર ચાલક ગામનો જ રહેવાસી ગણપત પરમાર અકસ્માત સર્જી ઘટના ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

સમગ્ર બનાવને પગલે પોલીસને જાણ કરાતા જરોદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતીઅને બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી હતી. બાળકીના પરિવારજનો દ્વારા જરોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જ્યારે પોલીસે પરિવારજનોની ફરિયાદના આધારે કાર ચાલકની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.

Latest Stories