રાજ્યમાં 875 નવા કેસ સાથે 14ના મોત, કુલ કોરોનાનો આંક 40 હજારને પાર

New Update
ભાવનગર જિલ્લામા આજે ૭ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, ૧૭ દર્દીઓ બન્યા કોરોનામુક્ત

રાજ્યમાં 7 દિવસથી કોરોનાના દરરોજ 700થી વધુ કેસો નોંધાઈ રહ્યા છે. જ્યારે 24 કલાકમાં સતત બીજા દિવસે 850થી વધુ એટલે કે 875 કેસ નોંધાયા છે અને 14ના મોત થયા છે. તેમજ 441 દર્દી સાજા થતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ અત્યાર સુધીમાં કુલ 40 હજાર 155 કેસ નોંધાયા છે, જ્યારે મૃત્યુઆંક 2024એ પહોંચ્યો છે. તેમજ 28,183 દર્દી સાજા થઇને ઘરે પરત ફર્યા છે. રાજ્યમાં 4 જુલાઈથી 10 જુલાઈ સુધીમાં એટલે કે 7 દિવસમાં જ 5,469 કેસ નોંધાયા છે અને 118 દર્દીના મૃત્યુ થયા છે. જ્યારે 3,242 દર્દી સાજા થઇને ઘરે પરત ફર્યા છે.

અમદાવાદમાં 5, સુરતમાં 4, અરવલ્લી, ગાંધીનગર, જામનગર, જૂનાગઢ, મહેસાણામાં 1-1 મળીને 14ના મોત, સુરતમાં 269, અમદાવાદમાં 165, ભાવનગરમાં 71, વડોદરામાં 69, રાજકોટમાં 39,ગાંધીનગરમાં 31,નવસારી 27,સુરેન્દ્રનગર-જામનગરમાં 23-23, મહેસાણામાં 21, જૂનાગઢમાં 18,ખેડામાં 17, બનાસકાંઠા-ભરૂચમાં 14-14 નવા કેસ, ગીર-સોમનાથમાં 11,દાહોદ-સાબરકાંઠામાં 8-8,આણંદ-પંચમહાલમાં 7-7, મોરબી-વલસાડમાં 5-5, છોટાઉદેપુર, કચ્છ-પાટણમાં 4-4, અમરેલી-તાપીમાં 3-3, અરવલ્લી-બોટાદમાં 2-2 અને પોરબંદરમાં 1 નવા કેસ

Latest Stories
Read the Next Article

ઓપરેશન સિંધુ : ઇઝરાયલ-ઈરાન યુદ્ધ વચ્ચે ભારતે તેના વિદ્યાર્થીઓને મોતના મુખમાંથી બચાવ્યા, ઈરાનથી 110 વિદ્યાર્થીઓ વહેલી સવારે દિલ્હી પહોંચ્યા

ઇઝરાયલ-ઈરાન યુદ્ધ વચ્ચે ભારતે તેના વિદ્યાર્થીઓને મોતના મુખમાંથી બચાવ્યા છે. ઓપરેશન સિંધુ હેઠળ 110 ભારતીય વિદ્યાર્થીઓની પહેલી ફ્લાઇટ ઈરાનથી પરત ફરી છે.

New Update
iran

ઇઝરાયલ-ઈરાન યુદ્ધ વચ્ચે ભારતે તેના વિદ્યાર્થીઓને મોતના મુખમાંથી બચાવ્યા છે. ઓપરેશન સિંધુ હેઠળ 110 ભારતીય વિદ્યાર્થીઓની પહેલી ફ્લાઇટ ઈરાનથી પરત ફરી છે. ભારતીય વિદ્યાર્થીઓને લઈને ઈરાનથી આવેલું વિમાન આજે વહેલી સવારે દિલ્હી પહોંચ્યું હતું. ઇરાનથી પરત ફરેલા ભારતીય વિદ્યાર્થીઓએ ઈરાનની પરિસ્થિતિનું વર્ણન કર્યું. આ બધા વિદ્યાર્થીઓ ઈરાનના ઉર્મિયાથી પાછા ફર્યા છે. બધા વિદ્યાર્થીઓ ઉર્મિયા યુનિવર્સિટીમાં મેડિસિનનો અભ્યાસ કરી રહ્યા છે. વિદ્યાર્થીઓએ કહ્યું કે, પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે અને આશા વ્યક્ત કરી કે, પરિસ્થિતિમાં સુધારો થશે અને તેમનો અભ્યાસ ફરી શરૂ થશે.

વાસ્તવમાં યુદ્ધગ્રસ્ત ઈરાનથી 100 વિદ્યાર્થીઓને આર્મેનિયા લઈ જવામાં આવ્યા હતા. આ પછી ગુરુવારે વહેલી સવારે તેમની ફ્લાઇટ દિલ્હીમાં ઉતરી. ઈઝરાયલ અને ઈરાન વચ્ચે બોમ્બમારો ચાલુ છે. ઈરાન પર સતત મિસાઈલોથી હુમલો થઈ રહ્યો છે ત્યારે ભારતીય વિદ્યાર્થીઓને તેહરાનથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. ભારતીય દૂતાવાસ દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થા મુજબ 'ઓપરેશન સિંધુ' હેઠળ મંગળવારે 110 વિદ્યાર્થીઓએ આર્મેનિયાની સરહદ પાર કરી હતી.

Latest Stories