/connect-gujarat/media/media_files/2024/10/28/r5zwWjp2WuxLZ6eq0RFE.jpeg)
બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીના સામે નોંધાયેલા હત્યાના કેસની શનિવારે ઢાકાની એક કોર્ટમાં સુનાવણી થઈ હતી. બાંગ્લાદેશી અખબાર ડેઈલી સ્ટારના અહેવાલ મુજબ, કોર્ટે પોલીસને સોમવાર, 28 નવેમ્બર સુધીમાં તપાસ રિપોર્ટ દાખલ કરવા કહ્યું છે.આ મામલો મીરપુરમાં સરકાર વિરોધી દેખાવો દરમિયાન 18 વર્ષીય કોલેજ વિદ્યાર્થીના મૃત્યુ સાથે સંબંધિત છે.
આ કેસમાં હસીના અને અન્ય 23 લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે.વિરોધ પ્રદર્શન દરમિયાન સુરક્ષા દળોની કાર્યવાહીમાં વિદ્યાર્થીનું મોત થયું હતું. 15 ઓગસ્ટ, 2024ના રોજ મૃતકના ભાઈ દ્વારા હસીના અને અન્ય 23 આરોપીઓ વિરુદ્ધ હત્યાનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો.હસીના પર હિંસામાં સીધી રીતે સામેલ હોવાનો અથવા તેને પ્રોત્સાહન આપવાનો આરોપ છે, જેના કારણે ફરિયાદીના ભાઈનું મૃત્યુ થયું હતું.