/connect-gujarat/media/media_files/2025/06/17/AEPjoM1mheVYwFE6Ric9.jpg)
ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે ભારત સરકાર સંપૂર્ણ સતર્ક છે. ઈરાનમાંથી મોટી સંખ્યામાં ભારતીયોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. ભારતીય વિદેશ મંત્રાલયે આ માટે એક કંટ્રોલ રૂમ બનાવ્યો છે. આ કંટ્રોલ રૂમ ઈરાન માંથી બહાર કાઢવામાં આવી રહેલા ભારતીયો માટે 24 કલાક પોતાની સેવાઓ પૂરી પાડશે.
આ માટે, સરકાર દ્વારા હેલ્પલાઈન નંબર પણ જારી કરવામાં આવ્યા છે. તમે સરકાર પાસેથી તમારા પ્રિયજનો વિશે મેઇલ દ્વારા પણ માહિતી મેળવી શકો છો. આ હેલ્પલાઈન નંબર નીચે મુજબ છે.
1800118797 (ટોલ ફ્રી)
+91-11-23012113
+91-11-23014104
+91-11-23017905 (વોટ્સએપ)
situationroom@mea.gov.in (મેઇલ આઈડી)
ઈરાનમાં ભારતીયો માટે હેલ્પલાઈન નંબર પણ જારી કરવામાં આવ્યા છે વધુમાં, ઈરાનની રાજધાની તેહરાનમાં ભારતીય દૂતાવાસે નીચે આપેલ સંપર્ક વિગતો સાથે 24X7 ઇમરજન્સી હેલ્પલાઈન સ્થાપિત કરી છે.
ફક્ત કૉલ્સ માટે:
+98 9128109115
+98 9128109109
વોટ્સએપ માટે:
+98 901044557
+98 9015993320
+91 8086871709
બંદર અબ્બાસ:
+98 9177699036
ઝાહેદાન:
+98 9396356649
cons.tehran@mea.gov.in (મેઇલ આઈડી) આ રીતે ભારતીયોને બહાર કાઢવામાં આવી રહ્યા છે ભારતે ઈરાનમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવાની કામગીરી વધુ તીવ્ર બનાવી છે. પ્રથમ બેચમાં, સોમવારે રાત્રે 100 ભારતીય નાગરિકોને ઈરાનથી રોડ માર્ગે આર્મેનિયા મોકલવામાં આવ્યા છે. નવી દિલ્હી અને તેહરાન વચ્ચે રાજદ્વારી વાટાઘાટો બાદ આ પગલું શક્ય બન્યું છે.