પાકિસ્તાની સેનાએ 6 આતંકવાદીઓને કર્યા ઠાર, હથિયારો અને દારૂગોળો જપ્ત..!

પાકિસ્તાની સુરક્ષા દળોએ દેશના અશાંત ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં એક મોટા ઓપરેશનમાં છ આતંકવાદીઓને ઠાર કર્યા હતા.

New Update
પાકિસ્તાની સેનાએ 6 આતંકવાદીઓને કર્યા ઠાર, હથિયારો અને દારૂગોળો જપ્ત..!

પાકિસ્તાની સુરક્ષા દળોએ દેશના અશાંત ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં એક મોટા ઓપરેશનમાં છ આતંકવાદીઓને ઠાર કર્યા છે. સેનાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ કાર્યવાહી ગુપ્ત માહિતી આધારિત ઓપરેશન દરમિયાન કરવામાં આવી હતી. માર્યા ગયેલા આતંકવાદીઓના કબજામાંથી હથિયારો અને દારૂગોળો મળી આવ્યો છે.

ઇન્ટર-સર્વિસ પબ્લિક રિલેશન્સે બુધવારે એક પ્રેસ રિલીઝ જારી કરીને જણાવ્યું હતું કે અફઘાનિસ્તાનની સરહદે આવેલા આદિવાસી ઉત્તર વઝિરિસ્તાન જિલ્લાના દત્તા ખેલ વિસ્તારમાં સુરક્ષા દળો સાથેની ગોળીબારમાં 6 આતંકવાદીઓ માર્યા ગયા હતા. માર્યા ગયેલા લોકો નાગરિક વસ્તી પર વિવિધ આતંકવાદી હુમલાઓ માટે કાયદા અમલીકરણ અને દળો દ્વારા વોન્ટેડ હતા.

દરમિયાન આતંકવાદીઓએ પાકિસ્તાનના અશાંત ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં વસ્તી ગણતરી ટીમની સુરક્ષા કરતી પોલીસ વાન પર હુમલો કર્યો હતો. હુમલામાં એક સુરક્ષા અધિકારીનું મોત થયું હતું, જ્યારે અન્ય બે ઘાયલ થયા હતા. ગોળીબાર બાદ આતંકીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.

Latest Stories