પીએમ બેન્જામિન નેતન્યાહુએ કરી મોટી જાહેરાત, હમાસ ઇઝરાયેલ વચ્ચે યુદ્ધ થઈ જશે સમાપ્ત

ઝરાયેલી સેના દ્વારા હમાસના નેતા યાહ્યા સિનવારને મારી નાખ્યા બાદ વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ મોટી જાહેરાત કરી છે. હમાસ સાથે ચાલી રહેલા યુદ્ધને કાલે જ સમાપ્ત કરી દેશે

isral
New Update

ઇઝરાયેલી સેના દ્વારા હમાસના નેતા યાહ્યા સિનવારને મારી નાખ્યા બાદ વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ મોટી જાહેરાત કરી છે. તેમણે કાલે (17 ઓક્ટોબર) પોતાના સંબોધનમાં કહ્યું કે તેઓ હમાસ સાથે ચાલી રહેલા યુદ્ધને કાલે જ સમાપ્ત કરી દેશે, પરંતુ આ માટે હમાસે તે બંધકોને મુક્ત કરવા પડશે, જે તેમની કેદમાં છે. જોકે, આ જોવું ખરેખર રસપ્રદ હશે કે શું હમાસ ઇઝરાયેલની શરતોને માને છે કે નહીં, કારણ કે ઇઝરાયેલી સેનાએ તેના ઘણા મોટા નેતાઓને યુદ્ધમાં મારી નાખ્યા છે.

માહિતી અનુસાર હમાસના કબજામાં હજુ પણ ઓછામાં ઓછા 102 લોકો છે, તેમને છોડાવવા માટે ઇઝરાયેલ દરેક રીતે પ્રયાસ કરી રહ્યું છે.

બેન્જામિન નેતન્યાહુએ તેમના વીડિયો સંદેશમાં ગાઝાના લોકો માટે એક ખાસ સંદેશ આપ્યો. તેમણે તેમને સમજાવ્યું કે જે સિનવારને તમે લોકો સિંહ સમજતા હતા, તે પોતે જ ગુફામાં છુપાયેલો હતો. તે તમારું ભલું નહોતો કરી રહ્યો.

અમેરિકા પણ સિનવારની હત્યાથી ઘણું ખુશ છે. આ જ કારણ છે કે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેને કાલે જ ઇઝરાયેલી વડાપ્રધાન સાથે ફોન પર વાત કરી અને અભિનંદન આપ્યા. આ ઉપરાંત યુદ્ધ અંગે આગળની યોજના પર વિચારો શેર કર્યા.

#Hamas #Israel #big announcement
Here are a few more articles:
Read the Next Article