યુક્રેન પર રશિયાનો ફરી મિસાઈલ હુમલો, 5 લોકોના મોત, 31 ઘાયલ, ઝેલેન્સકીએ શેર કર્યો વીડિયો…

રશિયા અને યુક્રેન વચ્ચે એક વર્ષથી વધુ સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. ઘણા દેશો બંને દેશો વચ્ચેના આ યુદ્ધને શાંત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

New Update
યુક્રેન પર રશિયાનો ફરી મિસાઈલ હુમલો, 5 લોકોના મોત, 31 ઘાયલ, ઝેલેન્સકીએ શેર કર્યો વીડિયો…

રશિયા અને યુક્રેન વચ્ચે એક વર્ષથી વધુ સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. ઘણા દેશો બંને દેશો વચ્ચેના આ યુદ્ધને શાંત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આમ છતાં બંને દેશો એકબીજા પર સતત હુમલા કરી રહ્યા છે. આ દરમિયાન રશિયાએ પૂર્વ યુક્રેનના પોકરોવસ્ક શહેરમાં મિસાઈલ હુમલા કર્યા હોવાનું સામે આવ્યું છે. શહેરમાં રહેણાંક મકાનને નિશાન બનાવીને કરાયેલા હુમલામાં પાંચ લોકોના મોત થયા હતા અને 30થી વધુ લોકો ઘાયલ થયા હતા. યુક્રેને હુમલાની નિંદા કરી છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ કહ્યું કે, મોસ્કોએ એક રહેણાંક ઇમારત પર હુમલો કર્યો. તેઓએ સોવિયેત યુગની પાંચ માળની ઈમારતના ફૂટેજ પણ જાહેર કર્યા છે. આ ઈમારતનો ઉપરનો માળ ધરાશાયી થઈ ગયો હતો. હુમલા બાદ બચાવ કાર્ય ચાલી રહ્યું છે. તેમની પોસ્ટમાં, ઝેલેન્સકીએ લખ્યું કે, કાટમાળ હજુ પણ સાફ કરવામાં આવી રહ્યો છે અને "શોધ અને બચાવ કામગીરી ચાલુ છે. તેમણે વધુમાં કહ્યું કે, રશિયાએ આ ભયંકર યુદ્ધમાં જે કર્યું છે તેના માટે તેને જવાબદાર ગણવામાં આવશે. યુક્રેનના મંત્રી ઇગોર ક્લિમેન્કોએ પણ ટેલિગ્રામ પર આ હુમલાઓની જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે, આમાં પાંચ લોકોના મોત થયા છે. દરમિયાન, બીજા હુમલામાં ડોનેત્સ્ક પ્રદેશના એક અધિકારીનું મોત થયું હતું. આ હુમલામાં 31 લોકો ઘાયલ થયા છે. જેમાં 19 પોલીસ અધિકારીઓ, પાંચ બચાવકર્મીઓ અને એક બાળકનો સમાવેશ થાય છે. પોકરોવસ્ક રશિયન હસ્તકના શહેર ડોનેત્સ્કથી ઉત્તર-પશ્ચિમમાં લગભગ 70 કિલોમીટર દૂર છે.

Read the Next Article

અમદાવાદ પ્લેન ક્રેશ: બોઇંગ વિમાનોની ઉડાન પર રોક મુદ્દે અમેરિકાનું મોટું નિવેદન

ડફીએ જણાવ્યું હતું કે, નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ, FAA, અને બોઈંગ તથા એન્જિન મેકર જીઈ એરોસ્પેસના પ્રતિનિધિઓ ભારતને આ દુર્ઘટના મામલે તપાસમાં સંપૂર્ણ સહયોગ આપશે.

New Update
boing

અમેરિકાના પરિવહન વિભાગના સચિવ સીન ડફીએ ગઈકાલે અમદાવાદમાં બનેલી હૃદયદ્રાવક વિમાન દુર્ઘટના પ્રત્યે શોક વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, હાલ બોઈંગ 787 ડ્રીમલાઈનર એરક્રાફ્ટમાં કોઈ ખામીના પુરાવા મળ્યા નથી.

જેથી અમે તેની ફ્લાઈટ્સ પર હાલ કોઈ પ્રતિબંધો લાદીશુ નહીં. ડફીએ આ દુર્ઘટના મામલે તપાસમાં ભારતને જરૂરી તમામ સહયોગ આપવાનું પણ વચન આપ્યું છે.

સીન ડફીએ જણાવ્યું હતું કે, અમારૂ નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ આ દુર્ઘટનાની તપાસ મામલે ભારતને તમામ સહાય પ્રદાન કરશે. હજી સુધી બોઈંગ 787 ડ્રીમલાઈનર વિમાનની ઉડાન અટકાવવાની જરૂર નથી. અમે આ દુર્ઘટના સાથે જોડાયેલા વીડિયો ક્લિપ્સ જોયા છે. પરંતુ હજી સુધી એવી કોઈ ટેક્નિકલ કે સિક્યોરિટી ખામીનો ડેટા મળ્યો નથી. જેનાથી સાબિત થઈ શકે કે, વિમાન મૉડલ (બોઈંગ 787)માં કોઈ ખામી છે. અમેરિકાના પરિવહન સચિવ સીન ડફી અને એક્ટિંગ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FFA) ચીફ ક્રિસ રોશેલે ગુરૂવારે એક પ્રેસ કોન્ફરન્સ યોજી આ અંગે જણાવ્યું હતું. 

ડફીએ જણાવ્યું હતું કે, નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ, FAA, અને બોઈંગ તથા એન્જિન મેકર જીઈ એરોસ્પેસના પ્રતિનિધિઓ ભારતને આ દુર્ઘટના મામલે તપાસમાં સંપૂર્ણ સહયોગ આપશે.  અમે હાલ બોઈંગ અને જીઈ સાથે દુર્ઘટનાના ઉપલબ્ધ ડેટાની સમીક્ષા કરી રહ્યા છીએ. કોઈપણ સલામતી ભલામણોનો અમલ કરવામાં અચકાઈશું નહીં. અમે તથ્યોનું પાલન કરીશું અને સલામતીને પ્રથમ સ્થાન આપીશું. FAA પેસેન્જર વિમાનની સુરક્ષાની ખાતરી કરતાં ભારતને વધારાના ડેટા મોકલવાની તૈયારી કરી રહ્યું છે.

નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB) એ અમેરિકન સરકારની એજન્સી છે. જે પરિવહન સંબંધિત દુર્ઘટનાઓ, અકસ્માતની તપાસ કરે છે. અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં તેને તમામ માહિતીઓ ભારત દ્વારા પૂરી પાડવામાં આવશે. તેની તપાસ ટીમ  એરક્રાફ્ટ એક્સિડન્ટ ઈન્વેસ્ટીગેશન બ્યૂરોને તપાસમાં મદદ કરવા ભારત આવશે.

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ દુર્ઘટનાને ભયાવહ ગણાવતાં દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, ભારત એ મોટો અને મજબૂત દેશ છે, તે આ દુર્ઘટનામાંથી ઉભરી આવશે. મને ખાતરી છે. જો જરૂર પડી તો અમે ભારતને તમામ પ્રકારની તાત્કાલિક ધોરણે મદદ કરવા તૈયાર છીએ.