પાકિસ્તાની સેના પર આત્મઘાતી હુમલો, 23 ના મોત
પાકિસ્તાનના ડેરા ઈસ્માઈલ ખાનના દરબન વિસ્તારમાં પાકિસ્તાની સેના પર મોટો આત્મઘાતી હુમલો થયો છે.
BY Connect Gujarat Desk13 Dec 2023 7:25 AM GMT
X
Connect Gujarat Desk13 Dec 2023 7:25 AM GMT
પાકિસ્તાનના ડેરા ઈસ્માઈલ ખાનના દરબન વિસ્તારમાં પાકિસ્તાની સેના પર મોટો આત્મઘાતી હુમલો થયો છે. આ આત્મઘાતી હુમલામાં પાકિસ્તાની સેનાના 23 લોકોના મોત થયા છે. આતંકવાદીઓએ ઓચિંતો હુમલો કર્યો અને સુરક્ષા દળોની ચેકપોસ્ટને નિશાન બનાવી. પાકિસ્તાન આર્મીના મીડિયા યુનિટ ઇન્ટર-સર્વિસ પબ્લિક રિલેશન્સ (ISPR) એ જણાવ્યું કે 12 ડિસેમ્બર, મંગળવારની વહેલી સવારે 6 આતંકવાદીઓએ હુમલો કર્યો.
વાસ્તવમાં સુરક્ષા દળોએ ચોકીમાં ઘૂસવાના આતંકવાદીઓના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. આ પછી જ આતંકીઓએ આત્મઘાતી હુમલાની રણનીતિ અપનાવી. તેઓએ વિસ્ફોટકોથી ભરેલું વાહન ચેક પોસ્ટમાં ઘુસાડ્યું અને આત્મઘાતી બોમ્બથી હુમલો કર્યો.
Next Story