અંકલેશ્વર: અંસાર માર્કેટના ભંગારના ગોડાઉનમાં આગ

અંકલેશ્વર: અંસાર માર્કેટના ભંગારના ગોડાઉનમાં આગ
New Update
  • વુડન વેસ્ટ હોઇ આગે ઝડપથી પ્રસરી
  • આગ લગવાનું કારણ અકબંધ

અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપરના અંસાર માર્કેટના એક ભંગારના ગોડાઉનમાં એકાએક આગ ભભૂકી ઉઠી હતી.આગને પગલે ગોડાઉન ખાખ થઈ જવા પામ્યું હતું.

અંકલેશ્વર ખાતે હાઇવેને અડીને આવેલ અંસાર માર્કેટના એક ભંગારના ગોડાઉનમાં બપોરના સમયે એકાએક આગ ભભૂકી ઉઠતા આસપાસના ગોડાઉનધારકોના જીવ પડીકે બંધાયા હતા. જોકે, આ ગોડાઉન ભંગારનું હતું પરંતિ તેમાં ભરેલા વડન વેસ્ટના કારણે જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. અચાનક લાગેલ આગમાં કોઇ જાન હાની ન નોંધાતા આસપાસ ના ગોડાઉન ધારકોએ હાશકારો અનુભવ્યો હતો. ઘટનાની જાણ ફાયર વિભાગને કરાતા તેમણે તત્કાલ ઘટના સ્થળે જઈ આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા.આ આગ કેવી રીતે લાગી તે કારણ હજુ અકબંધ રહેવા પામ્યું છે.

#ભરૂચ
Here are a few more articles:
Read the Next Article