અંકલેશ્વર ગ્રામ્ય વિસ્તારમાં 4 વર્ષીય બાળા પર દુષ્કર્મ આચરતો નરાધમ

અંકલેશ્વર ગ્રામ્ય વિસ્તારમાં 4 વર્ષીય બાળા પર દુષ્કર્મ આચરતો નરાધમ
New Update

અંકલેશ્વર તાલુકાનાં એક ગામમાં યુવકે ગામની 4 વર્ષીય બાળકીનું અપહરણ કરી દૂષ્કર્મ આચરતા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધવા પામી છે.

અંકલેશ્વર તાલુકાનાં એક ગામનાં યુવક દિનેશ વસાવાએ ગામની 4 વર્ષીય બાળકીનું અપહરણ કરી લઇ ગયો હતો અને તેની સાથે દુષ્કર્મ આચરી ફરાર થઇ ગયો હતો. બાળકીનાં માતાપિતા ખેતરે મજૂરી કરી પરત ફરતા તેઓને બાળકી સાથે બનેલી ઘટના અંગેની જાણ થઈ હતી.

ઘટનાથી વ્યથિત માતાપિતાએ આ અંગે તાલુકા પોલીસ મથકે જાણ કરી હતી, પોલીસે બાળકીને તબીબી પરીક્ષણ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી હતી.

ભોગ બનનાર બાળકીનાં માતાપિતાની ફરિયાદને આધારે પોલીસે આઈ.પી.સીની કલમ 363, 376 તેમજ પોસ્કો એક્ટ 4(છ) મુજબ આરોપી દિનેશ વસાવા વિરુધ્ધ ગુનો નોંધી વધુ તપાસ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર આર.કે. ધુળીયાએ આરંભી હતી. અને ફરાર આરોપીને ઝડપી પાડવાનાં ચક્રો ગતિમાન કર્યા હતા.

#ભરૂચ #Gujarat Election 2017 #સ્ત્રી
Here are a few more articles:
Read the Next Article