અંકલેશ્વર જીઆઇડીસી ખાતે બાળ સ્વરૂપ ધનશ્યામ મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો 

અંકલેશ્વર જીઆઇડીસી ખાતે બાળ સ્વરૂપ ધનશ્યામ મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો 
New Update

અંકલેશ્વર જીઆઇડીસી ખાતે બાળ સ્વરૂપ ધનશ્યામ મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનું ધર્મભીનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

publive-image

અંકલેશ્વર જીઆઇડીસી કોલોની ખાતે આવેલ નૂતન સત્સંગ હોલ ખાતે મૂર્તિ પ્રતિષ્ઠા મોહોત્સવ યોજાવમાં આવ્યો હતો. આ પ્રસંગે યોજવામાં આવેલ શ્રીમદ્દ સત્સંગી જીવન કથા પારાયણમાં વ્યાસપીઠ પર વક્તા વિવેક સ્વરૂપદાસ સ્વામીજી ઉપસ્થિત રહી હરિભક્તોને સંગીતમય કથાનું રસપાન કરાવ્યુ હતુ.

publive-image

આ પ્રસંગે શ્રીહરિની લીલાઓ વર્ણવી હતી. ધર્મફળ વડતાલનાં ભાવિ આચાર્ય નૃગેન્દ્રપ્રસાદ મહારાજનાં હસ્તે મૂર્તિ પ્રતિષ્ઠા કરાય હતી. વડતાલ થી શાસ્ત્રી સર્વમંગલ સ્વામી, પુરાણી સ્વામી, ઘનશ્યામદાસ સ્વામી, તથા જૂનાગઢ મંદિરનાં પ્રેમસ્વરૂપ મહારાજ ખોપાળા થી મુકિતસ્વરૂપદાસ સ્વામી પણ ઉપસ્થિત રહી આશીર્વચન પાઠવ્યા હતા.

#ભરૂચ #દિવાળી સમાચાર
Here are a few more articles:
Read the Next Article