અંકલેશ્વર પ્રતિન ચોકડી રેલવે સ્ટેશન રોડ પર  સમસ્યા યથાવત 

અંકલેશ્વર પ્રતિન ચોકડી રેલવે સ્ટેશન રોડ પર  સમસ્યા યથાવત 
New Update

અંકલેશ્વર પ્રતિન ચોકડી રેલવે સ્ટેશન પાસે લારીધારોકોએ રોડ પર ફ્રૂટનો ધંધો જમાવી દેતા ભારે ટ્રાફિકને અડચણ રૂપ બન્યા છે.

અંકલેશ્વર જુના નેશનલ હાઇવે નંબર 8 પર આવેલ પ્રતિન ચોકડી પાસે જીઆઇડીસી રેલવે સ્ટેશન જવાના માર્ગ પર તેમજ મુખ્ય માર્ગ પર ફ્રૂટ્સ તેમજ અન્ય સમાન વેચતા લારી ધારકો રોડ બરોબર મધ્યે અડિંગો જમાવી રોડ બ્લોક કરી રહ્યા છે. એક તરફ રોડ પર પાર્કિંગ અને બીજી તરફ લારી ધારકો અડિંગો જમાવતા વાહનચાલકો નીકળી શકતા નથી.

publive-image

જેના કારણે સવાર સાંજ ભારે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી છે,વધુમાં લોકો માટે ત્યાંથી પસાર થવુ પણ મુશ્કેલ રૂપ બની રહ્યુ છે.

દિવસને દિવસે વિકટ બનતી આ સમસ્યા સામે પોલીસ તંત્ર દ્વારા કડક પગલા ભરવામાં આવે તેવી માંગ પણ ઉઠવા પામી છે.

#ભરૂચ #દિવાળી સમાચાર
Here are a few more articles:
Read the Next Article