અંકલેશ્વર બાર એસોસિએશનનાં પ્રમુખ તરીકે સતત 20મી ટર્મ માટે પ્રેમચંદ સોલંકીની વરણી 

New Update
અંકલેશ્વર બાર એસોસિએશનનાં પ્રમુખ તરીકે સતત 20મી ટર્મ માટે પ્રેમચંદ સોલંકીની વરણી 

ગુજરાત બાર કાઉન્સિલનાં આદેશ અનુસાર યોજાયેલ ચૂંટણીમાં તમામ હોદ્દેદારો બિનહરીફ વરણી કરવામાં આવી હતી, ખાસ કરી અંકલેશ્વર બાર એસોસિએશનનાં પ્રમુખ તરીકે સતત 20મી ટર્મ માટે વકીલ પ્રેમચંદભાઈ સોલંકીની વરણી કરાઈ હતી.

બાર કાઉન્સિલ ગુજરાતનાં આદેશ અનુસાર રાજ્યનાં તમામ વકીલ મંડળની ચૂંટણી 22 મી ડિસેમ્બરનાં રોજ યોજાવામાં હતી. જે સંદર્ભે અંકલેશ્વર બાર એસોશિએશનની ચૂંટણી યોજવામાં આવી હતી.

જેમાં અંકલેશ્વર કોર્ટનાં ન્યાયાધીશોની ઉપસ્થિતમાં યોજવામાં આવેલ ચૂંટણીમાં પ્રમુખ તરીકે પ્રેમચંદભાઈ સોલંકી, ઉપ પ્રમુખ તરીકે અનિલભાઈ લાલ, સેક્રેટરી તરીકે ચંદ્રકાન્તભાઈ સરવણ, જોઈન્ટ સેક્રેટરી તરીકે સમીર એ. વકાની, અને ટ્રેઝરર તરીકે હરિવંદન મહેતાની બિન હરીફ વરણી કરવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે. 1997 થી સત્તત 20 વર્ષ થી પ્રતિ વર્ષ બિનહરીફ રીતે પ્રેમચંદભાઈ સોલંકીની પ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે.

Latest Stories