અંકલેશ્વર માં ફરી લાગી ભીંષણ આગ, 20 ફાયર બ્રિગેડ ની ગાડીયો ના ઉપીયોગ બાદ આગ પર આવ્યો કાબુ

અંકલેશ્વર માં ફરી લાગી ભીંષણ આગ, 20 ફાયર બ્રિગેડ ની ગાડીયો ના ઉપીયોગ બાદ આગ પર આવ્યો કાબુ
New Update

અંકલેશ્વર નજીક ને હા નો 8 ઉપર આવેલ અંસાર માર્કેટ માં અવાર નવાર આગ ના ગંભીર બનાવો બને છે, આજ રોજ પણ વહેલી સવારે માર્કેટ માં આવેલ વેસ્ટ પ્લાસ્ટિક ના ગોડાઉન માં ભીંષણ આગ ફાટી નીકળી હતી. આગ આટલી બેકાબુ હતી કે એક સમયે આગ ઉપર કાબુ મેળવવા નું અકલ્પનિય લાગતું હતું પરંતુ આશરે 6 કલાક ની ભારે જેહમત બાદ અને 20 થી વધુ ફાયર ની ગાડીયો ના ઉપીયોગ થી આગ ઉપર કાબુ મેળવાયો છે. આગ વિકરાળ સ્વરૂપ લેતા અન્યે બે ગોડાઉન ને પણ અસર પોહચી છે.

અંસાર માર્કેટ એશિયા નો સૌથી મોટો ભંગાર નો માર્કેટ છે જેમાં કેટલાક બેજવાબદાર લોકો રાસાયણિક કચરો અને અન્ય ઉદ્યોગ નો વેસ્ટ પણ રાખવા લાગ્યા છે જેના કારણે અવારનવાર આગ ના બનાવો બને છે.

અંકલેશ્વર ડી પી એમ સી, પાનોલી નોટીફાઈડ, અંક્લેશ્વવર નગરપાલિકા સહીત અન્ય ખાનગી કંપનીઓ ની ફાયર ની ગાડીયો તંત્ર દ્વારા આગ પર કાબુ મેળવવા બોલાવામાં આવી હતી, અંસાર માર્કેટ માં વારમ્વાર થતા આગ ના બનાવો ને લઇ જિલ્લા કલેકટર સંદીપ સાંગલે દ્વારા સંપૂર્ણ બનાવ ની તપાસ ના આદેશ આપવામાં આવ્યા છે. ગત મહિના માં અંસાર માર્કેટ માં કુલ ત્રણ આગ ના બનાવો નોંધાયા હતા જયારે ચાલુ મહિને હાલ સુધી માં બે બનાવો સામે આવ્યા છે.

#ભરૂચ #દિવાળી સમાચાર
Here are a few more articles:
Read the Next Article