અંકલેશ્વર શ્રવણ સ્કૂલ ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો

અંકલેશ્વર શ્રવણ સ્કૂલ ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો
New Update

અંકલેશ્વર શ્રવણ સ્કૂલ ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓ અને શિક્ષકોને EVM તેમજ VVPAT અંગે મામલતદાર દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ.

ચૂંટણી પંચ દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત અંકલેશ્વર શ્રવણ સ્કૂલ ખાતે મતદાન જાગૃતિ અભિયાન હેઠળ પ્રથમ વખત ઉપયોગમાં લેવાનાર VVPAT મતદાન અંગે મતદાતા તેમજ વિદ્યાર્થીઓને માહિતી આપવામાં આવી હતી.

શાળા સહયોગ થી યોજવામાં આવેલ કાર્યક્રમમાં શાળા શિક્ષકો તેમજ ધોરણ 11 અને 12નાં વિદ્યાર્થીઓ તેમજ ભાવિ મતદાતા રૂપી વિદ્યાર્થીઓને મતદાન કેવી રીતે કરવું તે અંગે માહિતી આપવામાં આવી હતી.

આ પ્રસંગે અંકલેશ્વરનાં મામલતદાર બી.યુ મહીડા, ઝોનલ અધિકારી માત્રોજા, તેમજ માસ્ટર ટ્રેનર ચૌધરી દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ.

#ભરૂચ #Gujarat Election 2017
Here are a few more articles:
Read the Next Article