અંકલેશ્વરનાં મીરાનગરમાં નવ માસ પૂર્વે થયેલ યુવાનની હત્યાનો ભેદ ઉકેલાયો

અંકલેશ્વરનાં મીરાનગરમાં નવ માસ પૂર્વે થયેલ યુવાનની હત્યાનો ભેદ ઉકેલાયો
New Update

પરણિતાના એક તરફી પ્રેમ માં પતિની હત્યા કરાઈ હોવાનો ઘટસ્ફોટ

અંકલેશ્વરનાં મીરાનગરમાં નવ માસ પૂર્વે થયેલ યુવાનની હત્યાનાં ગુનામાં ભરૂચ એલસીબી પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અંકલેશ્વર રાજપીપળા રોડ પર આવેલ મીરાનગરમાં ગત 17મી એપ્રિલ 2017ની રાત્રે સોસાયટીની નજીક આવેલ ખુલ્લા મેદાન માંથી યુવાનનો હત્યા કરાયેલ અને સળગાવી દીધેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. મૃતકની પત્ની સંગીતા સરવૈયાએ પોતાના પતિ પ્રદીપ સરવૈયા હોવાનું જણાવ્યુ હતુ.

બનાવ અંગે જીઆઇડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાયા બાદ આ તપાસ ભરૂચ એલસીબીએ શરુ કરતા ચોરીનાં અનેક ગુનાઓમાં સંડોવાયેલા અને મીરાનગર ખાતે રહેતા શિવશંકર ચોરસીયાની ધરપકડ કરી હતી.

એલસીબી પોલીસની તપાસ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો હતો. શિવશંકર ચોરસીયા મૃતક પ્રદીપ સરવૈયાની પત્ની સંગીતાને એક તરફી પ્રેમ કરતો હતો. જેથી તેણે પ્રદીપનો કાંટો કાઢવા તારીખ 17મી એપ્રિલની રાત્રે તેને ખુલ્લા મેદાનમાં બોલાવી તેને પથ્થર મારી હત્યા કરી મૃતદેહને સળગાવી દઈ ફરાર થઇ ગયો હતો.

એલસીબી પોલીસે મૂળ મધ્યપ્રદેશનાં અને હાલમાં અંકલેશ્વરનાં શાંતિનગરમાં રહેતા શિવશંકર ચોરસિયાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

#ભરૂચ #દિવાળી સમાચાર
Here are a few more articles:
Read the Next Article