કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ તારીખ 1લી નવેમ્બરનાં રોજ જંબુસર થી ભરૂચ જિલ્લાનાં પ્રવાસની શરૂઆત કરી છે. અને ભરૂચમાં રોડ શો બાદ યાત્રા અંકલેશ્વર ખાતે આવી પહોંચી હતી. જ્યાં કોંગ્રેસ સમિતિ દ્વારા યાત્રાનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યુ હતુ.
રાહુલ ગાંધીની યુવા રોજગાર ખેડૂત અધિકાર નવસર્જન યાત્રામાં રાજ્ય સભાનાં સાંસદ અહમદ પટેલ, પ્રદેશ પ્રભારી અશોક ગેહલોત, પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી, શક્તિસિંહ ગોહિલ, પંજાબ યુથ કોંગ્રેસનાં પ્રમુખ અમરિંદરસિંઘ રાજબરાર , સહિતનાં નેતાઓ પણ જોડાયા છે.