અનામત અને અત્યાચારનાં મુદ્દા પરથી ભટકવાનો નથી, હાર્દિક પટેલ

New Update
અનામત અને અત્યાચારનાં મુદ્દા પરથી ભટકવાનો નથી, હાર્દિક પટેલ

ભરૂચ જીલ્લાનાં આમોદ તાલુકાનાં સરભાણ ગામે પાટીદાર અનામત આંદોલન સમિતીનાં કન્વિનર હાર્દિક પટેલે જનઅધિકાર સંમેલનને સંબોધિત કર્યુ હતુ.

આ પ્રસંગે હાર્દિક પટેલે જણાવ્યુ હતુ કે અનામતએ પાટીદારોનાં અધિકારની લડાઇ છે. ભાજપ ૨૫ વર્ષથી સત્તામાં હોવા છતાં પાટીદાર સમાજ માટે કોઇ પણ કાર્ય થયું નથી. ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળતા નથી. હક્ક માટે લડીએ છીએ તો ગોળીઓ મળે છે.

૧૪ યુવાનોને ગોળીએ ધરબી દીધા ત્યારે પાટીદાર સમાજ ઉપર કેવી વિતી હશે. તે સમાજ સારી રીતે જાણે છે. અમારા અધિકાર માટે છેલ્લા શ્વાસ સુધી લડી લઇશું.

હાર્દિક પટેલે સેક્સ ક્લિપ અંગે જણાવ્યુ હતુ કે મારી હજી વધારે ક્લિપો બહાર આવશે પણ હું અનામત અને અત્યાચારના મુદ્દા પરથી ભટકવાનો નથી.

Latest Stories