આજ રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઝાંસીમાં રાણી લક્ષ્મીબાઈ કેન્દ્રીય કૃષિ યુનિવર્સિટીનું કરશે ઈ-લોકાર્પણ

New Update
આજ રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઝાંસીમાં રાણી લક્ષ્મીબાઈ કેન્દ્રીય કૃષિ યુનિવર્સિટીનું કરશે ઈ-લોકાર્પણ

નવી દિલ્હી સ્થિત વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ઝાંસીમાં રાણી લક્ષ્મીબાઈ કેન્દ્રીય કૃષિ યુનિવર્સિટીનું ઓનલાઈન લોકાર્પણ કરશે. આ કેન્દ્રીય કૃષિ યુનિવર્સિટી બુંલેદખંડ ક્ષેત્રની એક અગ્રણી સંસ્થા છે. શુક્રવારના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી કહ્યું કે, શનિવારે બપોરના 12: 30 કલાક રાણી લક્ષ્મીબાઈ કેન્દ્રીય કૃષિ યુનિવર્સિટીનું ઓનલાઈન લોકાર્પણ કરાશે.

આ પ્રયાસથી શિક્ષણના માળખાગત સુવિધામાં સુધારો થશે. કૃષિ તેમજ ખેડૂત કલ્યાણ ક્ષેત્રે સંશોધનમાં સહયોગ થશે. કૃષિ યુનિવર્સિટીએ 2014-2015માં તેમનું પ્રથમ શૈક્ષણિક સત્ર અને કૃષિ બાગાયત અને વનીકરણમાં અંડરગ્રેજ્યુએટ અને અનુસ્નાતક અભ્યાસક્રમો ચલાવી રહ્યું છે. તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરશે.

Latest Stories