ભરૂચ જિલ્લાની પાંચ વિધાનસભાની બેઠકોની ચૂંટણી સભા માટે વડાપ્રધાન મોદીએ આમોદ ખાતે વિશાળ ચૂંટણી સભાને સંબોધન કર્યુ હતુ, તેઓએ આ પ્રસંગે કોંગ્રેસ પર શાબ્દિક પ્રહારો કર્યા હતા.
પીએમ નરેન્દ્ર મોદીએ જનસભાને સંબોધન દરમિયાન તેઓએ ભરૂચ જિલ્લામાં સાંસદ મનસુખ વસાવાને આદિવાસીઓનાં મુક સેવક ગણાવ્યા હતા, પીએમ મોદીએ ઉત્તરપ્રદેશમાં લોકોએ કોંગ્રેસનાં એક હથ્થુ શાસનને જાકારો આપ્યો છે, અને તાજેતરમાં જ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસનો સફાયો થયો હોવાનું જણાવ્યુ હતુ.
પીએમ મોદીએ વધુમાં જણાવ્યુ હતુ કે ભાજપને અભૂતપૂર્વ સમર્થન મળી રહ્યું છે. પીએમ મોદીએ કોંગ્રેસ પર શાબ્દિક પ્રહારો કરતા જણાવ્યુ હતુ કે કોંગ્રેસે લોકો વચ્ચે તકરાર ઉભું કરવાનું કામ કર્યું છે. તમે લડતા રહો અને કોંગ્રેસ મલાઇ ખાતી રહે અને સમાજમાં એકબીજાને લડાવીને કોંગ્રેસ મલાઈ ખાતી રહે છે.
વધુમાં મોદીએ ગુજરાત એક બનીને પ્રગતિના પથ પર આગળ વધી રહ્યું છે, પરંતુ ગુજરાતની પ્રગતિ કોંગ્રેસની આંખમાં ખૂંચતી હોવાનું જણાવ્યુ હતુ.