કોઈ પણ ધર્મ માનવતા વિહોણો હોંતો નથી, સ્વામી નિજાનંદ સરસ્વતી

New Update
કોઈ પણ ધર્મ માનવતા વિહોણો હોંતો નથી, સ્વામી નિજાનંદ સરસ્વતી

અંકલેશ્વર જીઆઈડીસીનાં ચીલ્ડ્રન થિયેટરમાં પાંચ દિવસીય જ્ઞાનયજ્ઞનો આરંભ થયો છે, જેમાં ‘ભક્તિ વિચાર’ વિષય ઉપર સ્વામી નિજાનંદ સરસ્વતીની પ્રવચનમાળા શરૂ થઈ છે. અને પ્રવચનનો લ્હાવો મોટી સંખ્યા લઇ રહ્યા છે.

publive-image

દક્ષિણ ભારતનાં પ્રસિધ્ધ અને શ્રદ્ધેય એવા ભગવાન રમણ મહર્ષિનાં સાહિત્યમાં આવેલ ‘રમણ ગીતા’ ના 16માં અધ્યાયનાં આધારે સ્વામી નિજાનંદજીએ ભક્તિ વિચારમાં પ્રવેશ કરાવતા પ્રથમ દિવસનાં પ્રવચનમાં જ ખૂબ સચોટ અને ભાવવાહી શૈલીમાં સાચી સમજવાળી ભક્તિ અને આસ્તિકોનાં આચરણ ઉપર ભાર મુકતા જણાવ્યુ હતુ કે, માનવતા પણ ધર્મ વિના સંભવી શકે નહી.

સાચી માનવતા ધર્મની સમજ થી જ પ્રાપ્ત થાય છે. ભક્તિની યોગ્ય વિચારણા થી સાચી આસ્તિકતા નિર્માણ થઇ શકે છે. ભારતવર્ષમાં કલ્યાણનાં સાધન તરીકે સૌથી વધારે પ્રચલિત ભક્તિ છે અને તેથી જ ભક્તિનાં સાચા સ્વરૂપને સમજવું પણ અત્યંત આવશ્યક છે. તેના ઉપર ભાર મુકતા પૂજ્ય સ્વામીજીએ આસ્તિકોમાં ભક્તિની સાચી અને યોગ્ય સમજ પ્રાપ્ત કરવા પરમેશ્વરનાં શ્રેષ્ઠ સ્વરૂપની સમજ આપી હતી.

publive-image

ભક્તિ વિચાર જ્ઞાનયજ્ઞમાં અંકલેશ્વર ઉપરાંત વાલીયા અને ભરૂચ સહિતનાં વિસ્તારો માંથી મોટી સખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટી રહ્યા છે.

Latest Stories