/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/08/29205732/07-e1598714911821.png)
ગુજરાત રાજ્યમાં આજે કોરોનાના વધુ 1282 નવા પોઝીટીવ કેસ નોંધાયા છે. અને વધુ 13 દર્દીઓના મોત થયા છે.જ્યારે 1111 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ સંક્રમિતોની સંખ્યા 93,883 પર પહોંચી છે.અને કુલ મૃત્યુઆંક 2991 થયો છે.
રાજ્યમાં આજે 1282 નવા નોંધાયેલ કેસ પૈકી સુરત કોર્પોરેશનમાં 181 અમદાવાદ કોર્પોરેશનમાં 143, વડોદરા કોર્પોરેશનમાં 89, સુરતમાં 92, જામનગર કોર્પોરેશમાં 88, રાજકોટ કોર્પોરેશમાં 79, ભાવનગર કોર્પોરેશનમાં 36, રાજકોટમાં 36, વડોદરામાં 35,પંચમહાલમાં 34, કચ્છ અને મોરબીમાં 28-28, અમરેલી અને ભાવનગરમાં 25-25, ગીર-સોમનાથમાં 22, અમદાવાદ-ભરૂચ-ગાંધીનગરમાં 21-21 કેસ નોંધાયા છે.
રાજ્યમાં આજે 13 દર્દીઓના કોરોનાના કારણે મોત થયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનનમાં 3, રાજકોટ કોર્પોરેશનમાં 2, સુરત કોર્પોરેશનમાં 2, અમરેલીમાં 1, ગીર સોમનાથમાં 1, મહેસાણામાં 1, મોરબીમાં 1, જામનગર કોર્પોરેશનમાં 1, વડોદરા કોર્પોરેશનમાં 1 દર્દીનું મોત થયું છે.
રાજ્યમાં હાલ 15,230 એક્ટિવ કેસ છે, જ્યારે 75,662 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 89 દર્દી વેન્ટીલેટર પર છે અને 15,141 લોકો સ્ટેબલ છે.