મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સોખડા ખાતે સ્વામિનારાયણ ભગવાનનાં દર્શન કર્યા બાદ અંબારીશ સેનાનાં યુવાનોને સંબોધન કર્યુ હતુ.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સોખડા ખાતે દર્શન બાદ સંબોધનમાં જણાવ્યુ હતુ કે દેશમાં કોમન સિવિલ કોડ બને અને 370ની કલમ હટે તે જરૂરી છે. અને ગુજરાત તેમજ દેશમાં ભાજપની સરકાર આવ્યા બાદ યુવાનોની રોજગારીમાં વધારો થયો છે, તેમજ શિક્ષા સાથે દિક્ષા અને ચરિત્ર નિર્માણની કામગીરી ભાજપ સરકારે કરી હોવાનું જણાવ્યુ હતુ.
વધુમાં ગુજરાતનાં ગૌરવને સાચવવાની જવાબદારી યુવાનોનાં શિરે હોવાનું જણાવ્યુ હતુ.
આ પ્રસંગે સોખડા સ્વામિનારાયણ મંદિરનાં સંતો અને મહંતો પણ ઉપસ્થિત રહ્યા હતા.