ભરૂચનાં ઓમકારનાથ ભવન ખાતે ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ભરૂચ અને નર્મદા જિલ્લાનાં ચૂંટાયેલા સભ્યો અને શક્તિ કેન્દ્રનાં ઇન્ચાર્જો સાથે ચૂંટણીલક્ષી બેઠક યોજી હતી.
અમિત શાહે આ પ્રસંગે 150 લક્ષ્યનાં સંકલ્પ સાથે કોંગ્રેસને ઉખાડી ફેંકવા માટેનું આહવાન કર્યુ હતુ,તેમજ ગુજરાતમાં ભાજપ સરકાર અંગદનો પગ છે એને કોઈ હલાવી શકે નહિ તેમ જણાવીને કાર્યકર્તાઓને ચૂંટણીલક્ષી જરૂરી માર્ગદર્શન આપ્યુ હતુ.
આ પ્રસંગે ભાજપનાં રાષ્ટ્રીય મહામંત્રી અને ગુજરાતનાં પ્રભારી ભુપેન્દ્ર યાદવ, ગુજરાતનાં સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા, પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર, સાંસદ મનસુખ વસાવા સહિતનાં આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.