New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/01/HON.-PRESIDENT-AT-GONDAL-AAKSHAR-MINDIR-DT.22-01-2018-ROUND-1-11.jpg)
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદએ સ્વામિનારાયણ નગર ગોંડલ ખાતે પોતાના વક્તવ્ય દરમિયાન સંબોધન કરતા જાણાવ્યુ હતુ કે હું બિહાર નો રાજ્યપાલ હતો ત્યારે ગોંડલ આવ્યો હતો ત્યારે હુ અક્ષર દેરીએ આવ્યો હતો.
આજે બીજી વખત હું અહી આવી ધન્યતા અનુભવું છું. આ જગ્યા ગુણાતીતાનંદની કર્મભૂમિ છે હું સ્વામીજીનો પ્રશંશક રહ્યો છુ. તેમના કર્યો ખૂબ ઉમદા હતા. ભુતપુર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ પણ આ સંસ્થા ના કાર્યની ખૂબ નજીક હતા. રાષ્ટ્રપતિ ભવનમાં ફોટા હતા જેમાં મેં જોયા કે ડો. કલામે આ સંસ્થા થી ઘણું વધુ શીખ્યું છે.
Latest Stories