/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/12/03113125/vbv.jpg)
સ્વાતિ માલિવાલનું ટ્વિટ: ભલે ગમે તે થાય, પોલીસ અને કેન્દ્ર ગમે તેટલા પ્રયત્નો કરે, મારા આમરણાંત ઉપવાસ હર હાલમાં ચાલુ રહેશે.
જ્યાં સુધી કેન્દ્ર
આખા દેશ માટે એવી સિસ્ટમ નહીં બનાવે કે બળાત્કાર કરનારને દર 6 મહિનામાં ફાંસી આપવામાં આવે ત્યાં સુધી હું ઊભી થઈશ નહીં.
હું પહેલા રાજઘાટ
અને પછી સીધી જંતરમંતર જઈ રહી છું. જય હિન્દ.
દિલ્હી મહિલા આયોગના
અધ્યક્ષ સ્વાતિ માલીવાલ દેશભરમાં મહિલાઓ પર વધી રહેલા અત્યાચાર અને બળાત્કારના
વિરોધમાં આજે ભૂખ હડતાળ પર ઉતરશે. સ્વાતિ માલીવાલ આજથી જંતર મંતર પર ભૂખ હડતાલ પર
બેસશે.
માલીવાલના જણાવ્યા
અનુસાર, એક અઠવાડિયામાં છોકરીઓ અને મહિલાઓની સતત અટકાયત બાદ
હત્યાના કિસ્સા દેશભરમાંથી બહાર આવી રહ્યા છે. છતાં પણ સરકાર કડક કાયદા બનાવી રહી
નથી.
ફક્ત સખત કાયદો જ આવા કિસ્સાઓને રોકી શકે છે. અને એ જ માંગને લઈને હું ભૂખ હડતાલ કરી રહી છું. જ્યાં સુધી મારી માંગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી આ વિરોધ પ્રદર્શન ચાલુ રહેશે.