જાણો ક્યારે યોજાશે ગુજરાતનાં મુખ્યમંત્રીની શપથવિધિ

New Update
જાણો ક્યારે યોજાશે ગુજરાતનાં મુખ્યમંત્રીની શપથવિધિ

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી શાંતિમય માહોલમાં પૂર્ણ થયા બાદ હવે મુખ્યમંત્રીની શપથવિધિની તૈયારીઓ શરુ કરવામાં આવી છે.

સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ આગામી તારીખ 25મી ડિસેમ્બરે મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળની શપથવિધિ યોજાઈ શકે છે.

શપથવિધિ માટે અમદાવાદનાં સરદાર પટેલ સ્ટેડિયમ, સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર અને ગાંધીનગરનાં મહાત્મા મંદિર પર પસંદગી ઉતારવામાં આવી શકે છે. સ્થળ અંગેની પસંદગીને લઈને ચીફ સેક્રેટરી દ્વારા કવાયત આરંભવામાં આવી હોવાનું પણ જાણવા મળે છે.

Latest Stories