ગુજરાત સરકાર દ્વારા આત્મનિર્ભર યોજના અંગે ખાસ યોજના જાહેર કરવામાં આવી છે. જેના અનુસંધાને ભરૂચ નગરપાલિકા દ્વારા એક દિવસ દુકાનો અને મકાનોને ટેક્ષ અંગે રાહત આપવામાં આવી હતી.
ભરૂચ નગર પાલિકાનાં કારોબારી સમિતિનાં ચેરમેન નરેશભાઈ સુથારવાલાએ નગરપાલિકાનાં આ આયોજન સફળ થયું હોવાનું જણાવ્યુ હતુ. વધુમાં નરેશભાઈએ જણાવ્યું હતુ કે ગુજરાત આત્મનિર્ભર યોજના હેઠળ દુકાનો અને મકાનોનાં વેરામાં ખાસ 20 % વળતર આપવામાં આવ્યું હતુ જે કાર્યક્રમમાં રૂપિયા એક કરોડ બે લાખ જેટલો ટેક્ષ વસુલ કરવામાં આવ્યો હતો.