ભરૂચ ને.હા.નં 8 ને અડીને આવેલ હલદરવા ગામ નજીક ઉભેલી ટ્રકમાં પાછળ થી લકઝરી બસ ધડાકા ભેર ઘુસી જતા સર્જાયેલ ગમખ્વાર અકસ્માતનાં બનાવમાં 12 થી વધુ લોકોને ઈજાઓ પહોંચી હતી.તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
મંગળવારની વહેલી સવારનાં સમયે ભરૂચનાં નેશનલ હાઇવે નંબર 8 ઉપર પાલેજ નજીક આવેલ હલદરવા ગામ પાસે ઉભેલી ટ્રકમાં પાછળનાં ભાગે થી અમદાવાદ થી સુરત તરફ 40 થી વધુ મુસાફરો ભરીને જતી લકઝરી બસ ધડાકા ભેર અથડાય હતી.
સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં લક્ઝરીમાં સવાર 12 થી વધુ લોકોને ઈજાઓ પહોંચતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે 3 થી વધુ 108 ની મદદ થી ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવા માં આવ્યા છે.