ભરૂચના ટંકારીયા ખાતે બે ઘરના તાળા તોડી તસ્કરોનો તરખાટ

New Update
ભરૂચના ટંકારીયા ખાતે બે ઘરના તાળા તોડી તસ્કરોનો તરખાટ

ભરૂચના ટંકારિયા ખાતે બે બંધ મકાનને નિશાન બનાવી રોક્ડા તથા અસિનાના દાગીનાની ચોરીની ઘટના સમે આવતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.

ઘટનાની મળતી પ્રાથમિક વિગત અનુસાર તા.૧૪મીની રાતે ટંકારીયા ગામે રહેતા મહંમદ તૌસિફ ઐયુબ પટેલ વેકેશન હોઇ બહાર ગયા હતા તેમજ તેમની નજીકના ઘરમાં રહેતા ફારૂક ઉમરજી વલવી પણ ઘર બંધ કરી પોતાની બહેનને ત્યાં સુવા માટે ગયા હતા.જેઓ તા.૧૫મીની સવારે પરત ફરતા તેમણે મકાનોના તાળા તુટેલા જોયા હતા.જેથી કંઇ બન્યુ હોવાની આશંકાએ તપાસ કરતા ઘરનો તમામ સામાન વેરવિખેરતેમજ અમુક સામાનની તોડફોડ થયાનું માલુમ પડ્યું હતું તથા ઘરનો અમુકા સામાન ખેતરમાં પણ પડ્યાનું નજરે પડ્યું હતું.

બંન્ને મકાન માલિકો દ્વારા ઘરમાં જઈ વધુ તપાસ કરતા તૌસિફ પટેલના ઘરમાંથી રોક્ડા રૂપિયા ૮૦,૦૦૦ તથા દોઢ તોલા જેટલું સોનું તેમજ ફારૂક વલવીના મકાનમાંથી રોક્ડા રૂપિયા ૮૦ થી ૯૦ હજાર તેમજ સોનાનીવીટી મળી બંન્ને મકાનોમાંથી લગભગ રૂપિયા ૧ લાખ ૮૦ હજારની મત્તાની ચોરી કરી કોઇ અજાણ્યા ઇસમો ફરાર થઈ ગયાનું માલુમ પડ્યું હતું. સમગ્ર ઘટનાની જાણ ગામમાં થતાં જ ગામલોકો પણ દોડી આવ્યા હતા. બંન્ને મકાન માલિકો દ્વારા ચોરી થયાની ફરિયાદ પાલેજ પોલીસ મથકે નોંધાવવની કવાયત હાથધરી છે.

Latest Stories