ભરૂચનાં વોર્ડ નંબર 11માં પ્રાથમિક સુવિધાનાં અભાવે સ્થાનિકોએ ચૂંટણી બહિષ્કારની ઉચ્ચારી ચીમકી

ભરૂચનાં વોર્ડ નંબર 11માં પ્રાથમિક સુવિધાનાં અભાવે સ્થાનિકોએ ચૂંટણી બહિષ્કારની ઉચ્ચારી ચીમકી
New Update

ભરૂચનાં વોર્ડ નંબર 11માં આવેલ સોનેરી મહેલ વિસ્તારનાં રહીશોએ રોડ, ગટર અને ગંદકી મુદ્દે તંત્રની ટીકા કરી આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી. publive-imageભરૂચ નગર પાલિકાનાં વોર્ડ નંબર 11માં આવેલ સોનેરી મહેલ પાણીની ટાંકી પાસેનાં વિસ્તાર તેમજ જાલિયા મસ્જીદ નજીકનાં રહીશો છેલ્લા કેટલાય સમય થી પ્રાથમિક સુવિધાઓનાં અભાવનાં કારણે રોષે ભરાયા હતા. publive-imageસ્થાનિકોએ જણાવ્યુ હતુ કે જો વહેલી તકે તેઓનાં વિસ્તારમાં પ્રાથમિક મૂળભૂત સુવિધાઓ અંગે તંત્ર ધ્યાન નહિં આપે તો આગામી ચૂંટણીઓમાં કોઈ પણ પક્ષને વોટ નહિં આપવાની ચીમકી ઉચ્ચારી હતી.

#ભરૂચ #Gujarat Election 2017
Here are a few more articles:
Read the Next Article