ભરૂચમાં ગુજરાત ગૌરવ મહાસંપર્કની શરૂઆત કરાવતા કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંઘ

ભરૂચમાં ગુજરાત ગૌરવ મહાસંપર્કની શરૂઆત કરાવતા કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંઘ
New Update

ગુજરાત વિધાનસભા ચૂંટણીનાં પ્રચારમાં રાજકીયપક્ષો જોતરાય ગયા છે, ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજ્યમાં ગુજરતા ગૌરવ મહાસંપર્ક અભિયાન થકી ડોર ટુ ડોર પ્રચારનો પ્રારંભ કર્યો છે.

કેન્દ્રિય પ્રધાન જીતેન્દ્ર સિંઘે ભરૂચ ખાતે ગુજરાત ગૌરવ મહાસંપર્ક અભિયાનની શરૂઆત કરાવી હતી. કેન્દ્રીય પ્રધાન જિતેન્દ્ર સિંઘ દ્વારા ભરૂચનાં સ્લમ વિસ્તારને જન સંપર્ક માટે પસંદ કરવામાં આવતા ભરૂચ ભાજપાનાં હોદ્દેદારોએ કેન્દ્રીય પ્રધાનનું ભરૂચ બી.ટી. મિલ સામે આવેલ ભીડભંજનની ખાડીમાં આવેલા હનુમાનજીનાં મંદિરે દર્શન કરીને ગુજરાત ગૌરવ જન સંપર્ક અભિયાનનો પ્રારંભ કર્યો હતો.જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને હોદ્દેદારોએ મળીને લોકોના ઘર ઘર સુધી પહોંચીને ભાજપનાં કમળને મત આપી વિજયી બનાવવાની અપીલ કરી હતી.

#ભરૂચ #Gujarat Election 2017
Here are a few more articles:
Read the Next Article