New Update
ભરૂચનાં ભાડભૂત બેરેક યોજનાને લઈને માછી સમાજમાં હજી પણ રોષ જોવા મળી રહ્યો છે, અને માછીમારોએ વિધાનસભા ચૂંટણીનો બહિષ્કાર કરવાનાં બેનરો લગાવીને પોતાનો વિરોધ નોંધાવ્યો છે.
ભાડભૂત બેરેક યોજના થી નર્મદા નદીમાં પાણી ઓછા થઇ જશે જેના કારણે તેમની રોજીરોટીનો મોટો વિકટ પ્રશ્ન સર્જાશે તેવી દહેશત વ્યક્ત કરીને આ પ્રશ્નનાં નિરાકરણ માટે ઉચ્ચ કક્ષા સુધી રજૂઆત કરી હતી, પરંતુ તેનું કોઈ જ નિરાકરણ ન આવતા આખરે સમસ્ત ભરૂચ જિલ્લા માછી સમાજે ચૂંટણી બહિષ્કારનો નિર્ણય કર્યો છે.
ભરૂચ વેજલપુર ખાતે જિલ્લાનાં માછી સમાજે બેનર લગાવીને ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે.
Latest Stories