યુક્રેનના પૂર્વ ભાગમાં આવેલ ખારકીવ વિસ્તારમાં એરફોર્સનું વિમાન થયું ક્રેશ,22ના મોત

યુક્રેનના પૂર્વ ભાગમાં આવેલ ખારકીવ વિસ્તારમાં એરફોર્સનું વિમાન થયું ક્રેશ,22ના મોત
New Update

યુક્રેનમાં એરફોર્સનું વિમાન ક્રેશ થવાની દુર્ઘટના બની હતી. મળતી માહિતી અનુસાર આ દુર્ઘટનામાં સૈન્ય કેડેટ્સ સહિત 22 લોકોનાં મોત થયા છે. તો બે લોકો ગંભીર રીતે ઘાયલ થયાના અહેવાલ છે. આ અકસ્માત યુક્રેનના પૂર્વ ભાગમાં આવેલા ખારકીવ વિસ્તારમાં થયો હતો. યુક્રેનના એક મંત્રીએ આ દુર્ઘટના વિશે માહિતી આપી છે.

મંત્રી એન્ટોન ગેરાશેન્કોએ જણાવ્યું હતું કે આ અકસ્માતમાં 22 લોકોનાં મોત નીપજ્યાં હતાં અને બે ઘાયલ થયાં હતાં. અન્ય બે લોકોની શોધખોળ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે આ વિમાનમાં 28 લોકો હતા. તેમાંથી 21 લશ્કરી વિદ્યાર્થીઓ હતા જ્યારે 7 વિમાનના ક્રૂ મેમ્બર હતા. મંત્રીએ કહ્યું કે અકસ્માતનું કારણ હજી જાણી શકાયું નથી. યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સ્કીએ કહ્યું છે કે તેઓ શનિવારે આ વિસ્તારની મુલાકાત લેશે.

તેમણે ફેસબુક પર લખ્યું છે કે તે આ દુર્ઘટનાની તુરંત તપાસ કરવા માટે એક કમિશન બનાવી રહ્યા છે. આ કમિશન અકસ્માતનાં કારણોની તપાસ કરશે. એન્ટોનોવ-26 પરિવહન વિમાન સ્થાનિક સમયાનુસાર રાત્રે 8:50 વાગ્યે ચુહિવ લશ્કરી વિમાનમથકથી બે કિલોમીટરના અંતર પર અકસ્માતનો ભોગ બન્યું. અકસ્માત બાદ વિમાનમાં આગ લાગી હતી. આગને કાબૂમાં લેવામાં એક કલાકનો સમય લાગ્યો. આ અકસ્માતમાં 22 લોકોનાં મોત નીપજ્યાં હતાં. બે ગંભીર રીતે ઘાયલ થયા છે.

#Connect Gujarat #accident #AirForce #yukren
Here are a few more articles:
Read the Next Article