રાજકોટ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચિત્રો અને કલાકૃતિનુ પ્રદર્શન શરૂ, 900 થી વધુ પેન્ટિંગ્સ બની આકર્ષણનું કેન્દ્ર

New Update
રાજકોટ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચિત્રો અને કલાકૃતિનુ પ્રદર્શન શરૂ, 900 થી વધુ પેન્ટિંગ્સ બની આકર્ષણનું કેન્દ્ર

દેશમાં બીજી વખત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકાર બન્યા બાદ આજે પ્રથમ વખત રાજકોટમાં પ્રધાનમંત્રીના ફોટોનું મેગા એક્ઝીબીશનનું આયોજન કરવામાં અવાયું હતું. જેનું ઉદ્ઘાટન રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસામા દ્વારા કરવામાં આવ્યું હતું.

રાજકોટ સહીત દેશભરમાંથી ૨૦૦ થી વધારે કલાકારોએ આ એકઝીબીશનમાં ભાગ લીધો હતો અને ૧૦૦૦ થી વધુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ના અલગ અલગ ચિત્રો પ્રદર્શન માં મુકવામાં આવ્યા છે. રાજકોટ શ્યામા પ્રસાદ આર્ટ ગેલેરીમાં આજથી શરુ થયેલ એક્ઝીબીશન આગામી ૫ જુન સુધી સવાર ના ૧૦ થી સાંજના ૧૦ વાગ્યા સુધી ખુલ્લું રહેશે. આજથી ૫ દિવસ ચાલનાર આ એક્ઝીબીશન માં મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે અને ખાસ કરી યુવાધન આ કલાકૃતિ નિહાળવા આવી રહ્યા છે અને પ્રધાનમંત્રી ના ચિત્રો સાથે સેલ્ફી લઇ રહ્યા છે.

યુવાનો પણ કઈ રહ્યા છે કે ૫ વર્ષ ના કાર્યકાળ માં પ્રધાનમંત્રી ખુબ સારા કામ કર્યા છે અને આગળ પણ તેઓ દેશ માટે સારા કામ કરશે ત્યારે આ એક્ઝીબીશન રાજકોટ માં થયું એ એ બાબતે રાજકોટવાસીઓ માં ખુશીની લહેર જોવા મળી હતી