New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/11/DOAWz2CUEAA5kvX.jpg)
ભાજપ દ્વારા ગુજરાતમાં મહાસંપર્ક અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. 12 નવેમ્બર સુધી ચાલનારા આ અભિયાનનો પ્રારંભ ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે અમદાવાદ નારણપુરા થી કરાવ્યો હતો.
આ અભિયાન હેઠળ ભાજપનાં નેતાઓ અને કાર્યકરો સમગ્ર રાજ્યના જુદા-જુદા જીલ્લામાં જોડાશે અને જનતા સાથે મળશે. આ અભિયાનમાં કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમન, સ્મૃતિ ઈરાની, જેપી નડ્ડા, ધર્મેન્દ્ર પ્રધાન સહિતના 10 કેન્દ્રીય મંત્રીઓ આ ચૂંટણીના પ્રચાર માટે મેદાનમાં ઉતરશે.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2017/11/DOAR06nU8AA6BqE.jpg)
આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય મતદારો સાથે સીધો સંપર્ક કરવાનો છે. આ અભિયાનની રાજકોટમાં શરૂઆત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરાવી હતી. જ્યારે વડોદરામાં કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમર દ્વારા આ અભિયાનની શરૂઆત કરાવવામાં આવી હતી.
Latest Stories