ગુજરાત વિધાનસભાની ચૂંટણી પ્રચારનાં ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભરૂચ જિલ્લાનાં આમોદ ખાતે ચૂંટણી સભાને તારીખ 3જી ડિસેમ્બરનાં રોજ સંબોધન કરશે.
જંબુસર વિધાનસભાનાં મત વિસ્તારનાં આમોદ ખાતે 3જી તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક વિશાળ સભાને સંબોધિત કરશે. જેમાં ભરૂચ જિલ્લાનાં મોટી સંખ્યામાં ભાજપનાં કાર્યકરો ઉમટી પડશે.
પીએમ મોદીની સભાની તૈયારીઓનાં ભાગ રૂપે આમોદ નજીક આવેલી રેવા શુગરનાં વિશાળ મેદાનમાં 12 જેટલા જેસીબી મશીનો અને 50 જેટલા મજુરોએ સાફ સફાઇ અભિયાન હાથધર્યુ હતુ.