Connect Gujarat
ગુજરાત

શ્રી સૌરાષ્ટ્ર આહીર સમાજનો 12મો સ્નેહ મિલન સમારોહ યોજાયો

શ્રી સૌરાષ્ટ્ર આહીર સમાજનો 12મો સ્નેહ મિલન સમારોહ યોજાયો
X

અંકલેશ્વર વાલિયા રોડને અડીને આવેલ ઓમકાર એક્ઝોટિકા ખાતે તારીખ 20મી ઓગષ્ટ રવિવારની સાંજે શ્રી સૌરાષ્ટ્ર આહીર સમાજ ભરૂચ જિલ્લાનો 12મો સ્નેહ મિલન ઇનામ વિતરણ સમારોહ યોજાયો હતો.

આ પ્રસંગે સનાતન ધર્મ પરિવારનાં ગાદીપતિ સંત શ્રી સોમદાસ બાપુ, જન અધિકાર મંચના પ્રમુખ પ્રવીણભાઈ રામ, સાજણભાઇ આહીર સહિત મહાનુભાવો અને સમાજનાં અગ્રણી ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે સમાજ ના પ્રમુખ સાજણભાઈ આહિરે સમાજનાં બાળકોમાં સારા સંસ્કારોનું સિંચન થાય અને સમાજ શિક્ષિત બને તે માટે સૌ એ સહિયારો પ્રયાસ કરવા માટે સમાજને આહવાન કર્યું હતુ, અને તાજેતરમાં લેવાયેલ UPSCની પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર સમાજનાં યુવાન કલ્પેશ કાવડનું સન્માન કરવામાં આવ્યુ હતુ.

Next Story